SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્રવચન રહેનારા તથા સંયમ, તપ અને ચાગની આરાધના કરવામાં આનંદ માનનારા ભારતના ઋષિમુનિઓએ કરેલી છે, પરંતુ તે પરથી કોઈ એમ કહેવા ઈચછતું હોય કે તેમાં કંઈ વૈજ્ઞાનિક તથ્ય નથી, તે એ ગંભીર ભૂલ છે. સત્ય હકીક્ત એ છે કે આપણુ અષિ-મુનિઓ માત્ર સંયમી, માત્ર તપસ્વી કે માત્ર ચગસાધકે જ નહિ, પરંતુ જ્ઞાનના સમર્થ ઉપાસક હતા અને વિશ્વની દરેક ઘટના અંગે ઊંડે વિચાર કરી તેમાંથી વૈજ્ઞાનિક ત તારવવાનું સામર્થ્ય ધરાવતા હતા, તેથી જ તેમણે રચેલાં વિવિધ શામાં વિજ્ઞાનની ઝલક દેખાય છે અને તે જીવનને ઉત્કર્ષ કે અભ્યદય સાધવામાં અતિ ઉપયોગી પુરવાર થયાં છે. - વિરાટુ વિશ્વનું અવલોકન, આકાશી પદાર્થોનું સેગ્ય વર્ગીકરણ, તેની માનવજીવન પર થતી અસરે, શકિત અને શબ્દની ગહન વિચારણ, વસ્તુના ગુણધર્મોનું સૂમ વિવેચન, આણુ-પરમાણુના સિદ્ધાંતની વિશદ ચર્ચા, રસાયણની શોધ, જીવસૃષ્ટિનું વ્યવસ્થિત નિરૂપણુ ગણિતની ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓ તથા ક્ષેત્ર અને કાલના સૂક્ષમાતિસૂક્ષમ વિભાગે વગેરે તેમની વૈજ્ઞાનિક દ્રષ્ટિ પૂરવાર કરવા માટે પૂરતા નથી શું? “આપણે અંધકાર યુગમાં જીવતા હતા અને પશ્ચિમના લેઓએ જ્ઞાન-વિજ્ઞાનને પ્રકાશ આપે” આ પ્રચાર છેલ્લાં દોઢ વર્ષથી આ દેશમાં એકધારે ચાલુ રહ્યો છે, પણ તેમાં કંઈ તથ્ય નથી. વધારે સ્પષ્ટ કહીએ તો તે એક પ્રકારનું જૂઠાણું છે અને રાજદ્વારી હેતુ સિદ્ધ કરવા માટે ઈરાદાપૂર્વક
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy