SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ હી કારને અર્થ * * * એટલે મુસલમાન તરીકે ઓળખાતા હતા. કાશીમાં તેમને નિવાસ હતે. તેઓ નાનપણથી રામનું રટણ કરતા હતા અને તેમાં તેમને ઘણે આનંદ આવતું હતું. તેઓ યુવાવસ્થામાં આવ્યા ત્યારે તેમને વિચાર આવે કે “ઈન્ટે બ્રહ્માજીને ગુરુ ક્યાં હતા, જનક રાજાએ અષ્ટાવક્રને ગુરુ કર્યા હતા અને શ્રી રામચંદ્રજીએ વસિષ્ઠ ઋષિને ગુરુ કર્યા હતા, તેમ મારે પણ ગુરુ અવશ્ય કરવા જોઈએ. ગુરુ વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના મેક્ષ નથી.” પરંતુ કેને ગુરુ કરવા? તેની કંઈ સૂઝ પડતી ન હતી. આખરે તેમણે પોતાના આંગણામાં એક તુલસીક્યારે હતે, તેની પાસે ઉઘાડા શરીરે બેસીને એ સંકલ્પ કર્યો કે “જ્યારે મને ગુરુ સંબંધી માર્ગ મળશે, ત્યારે જ હું અહીંથી ખસીશ? અને તેઓ ત્યાં ખાધા-પીધા વિના રામનું નામ રટતા બેસી જ રહ્યા. એમ કરતાં રાત્રિ પડી, છતાં તેમણે પિતાનું સ્થાન છોડ્યું નહિ એ તે પાઠકે જાણતા જ હશે કે કોઈ પણ વ્યક્તિ વ્રત, નિયમ અથવા પ્રતિજ્ઞા ગ્રહણ કરે, ત્યારે તેની કટી અવશ્ય થાય છે. આ રીતે તેમની પણ કટી થઈવર્ષહતના દિવસે હેવાથી એકાએક વાદળ ચડી આવ્યાં અને ભયંકર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયે. આમ છતાં કબીરજીએ પિતાનું સ્થાન છોડ્યું નહિ. રામનામને જપ ચાલુ રાખ્યું. આખરે મેઘરાજાએ ખમૈયા કર્યા, આકાશ નિર્મળ
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy