SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૨ (રાગ : શિવરંજની) ચોરાઈ ગયું મન ઇશ્કમાં, પછી ચોરવાનું શું ? દોરાઈ ગયું મન હેમમાં, પછી દોરવાનું શું ? ધ્રુવ જે હતું તે જતું રહ્યું, પછી જવાનું શું ? ક્ષણવારમાં જે થઈ ગયું, પછી થવાનું શું ? ચોરાઈo રૂશ્વત લીધી જો હાથમાં, ન્યાય તોળવાનું શું ? હુકમ થયો હાર્કેમનો, પછી બોલવાનું શું ? ચોરાઈ લાગ્યું નહિં મન રામમાં, પગે લાગવાથી શું ? જાગ્યું નહિ મન જ્ઞાનમાં, નિશિ જાગવાથી શું ? ચોરાઈo પાળ્યું નહિં મુખ વેણતો, ધર્મ પાળવાથી શું ? બાળ્યું નહિં અભિમાન તો, મન બાળવાથી શું ? ચોરાઈ ન સૂઝયું આત્મશ્રેય તો, અન્ય સૂઝવાથી શું ? પીંગલ રહ્યું મન પાપમાં, પ્રભુ પૂજવાથી શું ? ચોરાઈ આખી રાતના કરે ઉજાગરા, ગાંજા ફૂંકી ફૂંકી ગાય જી; ખોટા વિચારો ઉરમાં લાવી, માયામાં લપેટાઈ જાય. હરિને ભજ્યથી શું થાય છે ? સાચું કહેતાં ખોટું લાગે, ઓલ્યા ભગતને ભાઈ જી; જાક-કપટને છોડી દે તો ! દેવ તરીકે પૂજાય. હરિને ભજ્યથી શું થાય છે ? વ્હાલો મારો અંતર્યામી, કોઈથી નવ છેતરાય જી; કવિ* પિંગળ’ તો એમ જ હે છે, ઓલ્યા નર તો નરકે જાય. હરિને ભજ્યથી શું થાય છે ? પ૧૪ (રાગ : સોરઠ ચલતી) મનની તૃષ્ણા કદી ન તૂટે હોજી, લોભ સર્વને લૂંટે. ધ્રુવ જ્ઞાન વિનાના ગ્રંથ વાંચીને, ફોગટ આંખ્યું ફ્રે હોજી; રોશ મટે નહિં કઠણ હૃદયથી, જુવતી સંગે જૂટે. મનની પાપ વૃત્તિથી લાભ પામવા, કરી ઉધમ શિર કૂટે હોજી; સદ્ગુરૂ વચનામૃત રસ છોડી, ઘર ધંધે વિખ ઘૂંટે. મનની મૂઢ અજાણ ફરે મૃગવનમાં, કસ્તુરી છે રૅટે હોજી; એમ આપમાં નહિ ઓળખે, ખટપટમાં આયુષ ખૂટે. મનની પીંગળશી કહે ચેતો પ્રાણી , વૈભવ અંત વિખૂટે હોજી; બહુ દુ:ખદાયક માયા બંધન, સંત કૃપાથી છૂટે. મનની પ૧૩ (રાગ : માંડ) ભયેથી શું થાય, જ્યાં લગી કૂટ - કપટ નવ જાય; હરિને ભજ્યથી શું થાય છે ? નિત્ય સવારે વહેલા ઊઠીને, ટાઢે પાણીએ ન્હાય જી; સગા રે ભાઈનું સારું થાતા, દિલમાં લાગે વ્હાય. હરિને ભજ્યથી શું થાય છે ? પુષ્પ, ચંદન, ચોખા લઈને, દેવમંદિરે જાય છે; ઠાકરના એ ચાકર થઈને, ચોરી ચોરીને ખાય. હરિને ભજ્યથી શું થાય છે ? ત્યાગી બન્યો અનુરાગી બન્યો, બડભાગી બન્યો અરિસેન હન્યો હૈ, સૂર બન્યો મગરૂર બન્યો, ધનપૂર બન્યો ચકચૂર સુન્યો હૈ; તાલી બન્યો અરુ ખ્યાલ બન્યો, સુખપાલી બન્યો બડભાલી ગવ્યો હૈ, બ્રહ્મમુનિ ઘનશ્યામકો સેવક, જો ન બન્યો તો કછુ ન બન્યો હૈ. ઐસી દેની દેન, કિસ સિંથે હો સૈન જ્યાં જ્યોં કર ઊંચો કરો, હું હું નીચે નૈન | ૩૧૪) દેનહાર કોઈ ઔર હૈ, ભેજત જો દિનરૈના લોક ધરમ હમ પર કરે, તાસો નીચે નૈન. ૩૧૫ ભજ રે મના પિંગળશી
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy