________________
મુંબઈમાં પોતાની શતાવધાન (સો અવધાન) કરવાની શક્તિ ફરામજી કાવસજી ઈન્સ્ટીટ્યુટમાં ડૉ. પીટરસનના
અધ્યક્ષપદે હજારો પ્રેક્ષકો સમક્ષ તેઓએ દર્શાવી હતી. તેની ભૂરી ભૂરી પ્રશંસા ‘મુંબઈ સમાચાર’, ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’, ‘જામે જમશેદ’, ‘ઈન્ડિયન સ્પેક્ટેટર' વગેરે વર્તમાન પત્રોમાં કરવામાં આવી હતી. સર ચાર્લ્સે તેમને યુરોપમાં જઈ પોતાની આ આત્મિક શક્તિઓ દર્શાવવાની ભલામણ કરી હતી. પણ જ્ઞાન વેચીને કીર્તિ કે કાંચન ભેગું કરવાની લાલસા તેમનામાં કિંચિત્ પણ નહોતી. વીસ વર્ષ પછી અવધાન પણ આત્મોન્નતિમાં બાઘક જણાવવાથી તેનો પણ શ્રીમદે ત્યાગ કર્યો હતો.
૩૫