________________
મુનિ તમે આત્મા જોશો
પરમકૃપાળુદેવ અમદાવાદમાં રાજપરના દેરાસરે જવાના હોવાથી
મુનિઓને પણ ત્યાં બોલાવ્યાં. દેરાસરમાં છઠ્ઠી પદ્મપ્રભ પ્રભુજીનું
સ્તવન પોતે ગાયું. ‘પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું રે...” અને સ્તુતિ નમસ્કાર કરી ઊભા થઈ પછી
ભોંયરામાં ગયા. ભોંયરામાં મૂળનાયકેજી
પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં જે ભવ્ય ઘવલ પ્રતિમાજી છે, તેની
સમીપ જઈ પરમકૃપાળુદેવ ઓચિંતા
બોલી ઊઠ્યા કે-“દેવકરણજી, જાઓ! જુઓ આત્મા!
ત્યારે શ્રી લઘુરાજ સ્વામી કહે હું ભોળો તે બોલી ઊઠ્યો “ક્યાં છે બાપજી? પછી મારી સામું જ જોઈ રહ્યા અને બોઘમાં જણાવ્યું કે મુનિ! તમે જોશો.”
“આત્મા સ્વાનુભવગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી, ઇંદ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે
જાણે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૧૩)
|
|
૧૨૩