________________
સાત વ્યસન સેવવાનું ફળ
“સાત વ્યસનમાં જે સાત વસ્તુનો ત્યાગ કહ્યો છે તે દરેક વસ્તુ વાપરવાથી વ્યસન, ટેવ બંધાઈ જાય છે, મન ત્યાંનું ત્યાં જ રહે છે. ધર્મમાં વિઘ્ન પાડે છે. આ લોક પરલોક બન્નેમાં હાનિકારક છે અને ધર્મનો નાશ કરનાર છે. માટે તેને દૂરથી ત્યાગવાની વૃત્તિ રાખવી.’ (ઉ.પૃ.૧૨૮)
જુગાર
કુળ
૨. માંસ ઃ- “હું મારા લેશ વ્યસન ખાતર કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બેધડક હણું છું એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે ?’’ (વ.પૃ.૭૮)
“આપણા દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેનો પણ જીવ તેને વહાલો હશે.'' (વ.પૃ.૮૦) “નિરંતર જંતુ જ્યાં ઊપજે, પ્રાણી હણી જન લાવેજી, જોતાં, અડતાં ચઢે ચીતરી, કોણ માંસ મુખ ચાવેજી ?''
(પ્રજ્ઞાવબોધ રૃ.૨૧૫)
દારૂ ફળ
૪. ચોરી :- ચોરી કરીને તુરત પૈસા આવે તે સારુ લાગે છે. પણ જેનું પરિણામ ખરાબ આવે તે દુઃખદાયક છે, એમ સમજી કોઈ ને પૂછ્યા સિવાય શાક જેવી વસ્તુ પણ ન લેવી. લાખ રૂપિયાની કિંમતી ચીજ રસ્તામાં પડી હોય પણ લેવી નહીં.’’ (બો.૧ પૃ.૯)
‘“એકવાર ઠગનારો જીવ પણ વારંવાર ઠગાશેજી, દાન સમાન સહસ્રગુણું ફળ ચોરીનું ય ચખાશેજી.''
(પ્રજ્ઞાવબોધ પૃ.૨૧૫)
૧. જુગાર :- ‘જુગાર રમે તે નરકે જાય; આ વાત બહુ ધ્યાનમાં લેવા જેવી છે...તેને ધિક્કાર, ધિક્કાર, ધિક્કાર છે !’ (ઉ.પૃ.૧૧૦) ‘જુગાર—લોભ મહા ખરાબ છે. જો તે છૂટે તો ઘણો જ લાભ થાય એમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામનાએ કરી સટ્ટા, લોટરી વગેરે કરવાં નહીં.'' (બોય ૫.૯)
૧૧૪
“જુગાર, કુસંગતિનું કારણ, સર્વ વ્યસનમાં પહેલુંજી, દુઃખ અપકીર્તિ, પાપમૂળ એ, કરે સદા મન મેલુંજી.’’
(પ્રજ્ઞાવબોધ રૃ.૨૧૫)
માસ કુળ
૩. દારૂ :
“દારૂડિયો માતાને કાન્તા ગણી, કુચેષ્ટા કરતોજી; શેરીમાં મુખ ફાડી સૂવે, શ્વાન-મૂત્ર પણ પીતોજી. ધર્મ, અર્થ ને કામ ગુમાવે આ ભવમાં પણ દારૂજી, પરભવમાં બહુ દુઃખો દેશે; કામ કરે શું સારુજી ?''
(પ્રજ્ઞાવબોધ રૃ.૨૧૫)
શ્રી ફળ
“પરમકૃપાળુદેવે જણાવેલો જે માર્ગ તેને વિઘ્ન કરનાર સાત વ્યસન છે.'' (૩ પૃ.૭૬૯) ધર્મનો પાયો નીતિ છે, તેથી જ સાત વ્યસનનો ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાનો હોય છે.’” (બો.૩ પૃ.૬૬૯)