________________
જ્ઞાનમંજરી
ટીકાકારશ્રીની પ્રશસ્તિ
૮૮૯
તેમના શિષ્ય શ્રી પુણ્યપ્રધાન નામવાળા ઉપાધ્યાય થયા, તેમના શિષ્ય વિદ્યામાં વિશારદ એવા શ્રી સુમતિસાગરજી થયા. III
तच्छिष्या साधुरङ्गाख्या, राजसाराः सुपाठकाः । सर्वदर्शनशास्त्रार्थतत्त्वदेशनतत्पराः ॥१०॥
તેમના શિષ્ય સારંગ નામના મુનિ થયા અને તેમના શિષ્ય રાજસાર નામના ઉત્તમ ઉપાધ્યાય થયા. જેઓ સર્વદર્શન શાસ્ત્રોના અર્થોનાં તત્ત્વો સમજાવવામાં સદા તત્પર રહેતા. I॥૧૦॥
तच्छिष्या ज्ञानधर्माख्याः, पाठकाः परमोत्तमाः ।
जैनागमरहस्यार्थ-दायका गुणनायकाः ॥११॥
તેમના શિષ્ય પરમ-ઉત્તમ એવા જ્ઞાનધર્મ નામના ઉપાધ્યાયજી થયા જેઓ જૈન આગમોનાં રહસ્યોના અર્થોને સમજાવનારા અને ગુણોના નાયક હતા. ||૧૧||
तेषां शिष्या महापुण्यकार्यसंसाधनोद्यताः ।
पाठका दीपचन्द्राख्याः शिष्यवर्गसमन्विताः ॥१२॥
તેઓના શિષ્ય ઉપાધ્યાય શ્રી દીપચંદ્રજી મહારાજશ્રી થયા કે જેઓ પોતાના શિષ્યવર્ગ સાથે મહા પુણ્યકાર્યો સિદ્ધ કરવામાં ઉદ્યમશીલ હતા. ।।૧૨।।
येन शत्रुञ्जये तीर्थे, कुन्थुनाथार्हतः पुनः ।
चैत्ये समवसरणे च प्रतिष्ठा विहिता वरा ॥१३॥
चतुर्मुखे सोमजिता कृते यः पूर्णतां व्यधात् । प्रतिष्ठां नैकबिम्बानां चक्रे सिद्धाचले गिरौ ॥१४॥
"
अहम्मदावादमध्ये, सहस्रफणाद्यनेकबिम्बानाम् । चैत्यानाञ्च प्रतिष्ठां, चकार यो धर्मवृद्धये ॥ १५ ॥
જે શ્રી દીપચંદ્રજી ઉપાધ્યાય વડે શત્રુંજયગિરિરાજ ઉપર ચૈત્યમાં તથા સમવસરણમાં પરમાત્મા શ્રી કુંથુનાથની શ્રેષ્ઠ પ્રતિષ્ઠા કરાવાઈ. તથા તે જ શત્રુંજયગિરિરાજ ઉપર સોમજીએ (સોમાશાહે) કરાવેલા ચૌમુખજીના મંદિરમાં તથા બીજાં પણ અનેક પ્રતિમાજીની