________________
૮૬૨
જ્ઞાનસારની ગરિમા
જ્ઞાનસાર
છે તે મહાત્માઓના ચિત્તને તીવ્ર મોહ રૂપી, અગ્નિનું ( આશ્ર્લેષ = ) આલિંગન ક્યારેય થતું નથી. અને તેના કારણે તેવા અગ્નિનો દાહ તેઓને સંભવતો નથી. તેથી તેવા મોહરૂપી અગ્નિના સંયોગથી થનારા એવા દાહથી ઉત્પન્ન થનારી પીડા પણ ક્યારેય થતી નથી. તેઓ તો મોહાગ્નિને બુઝવનારા બને છે. મોહસાગરને તરનારા બને છે. મોહરાજા તેઓનો વાળ પણ વાંકો વાળી શકતો નથી.૧ I
अचिन्त्या कापि साधूनां ज्ञानसारगरिष्ठता ।
"
તિર્થયોર્ધ્વમેવ, સ્વાધ:પાત: પિના
ગાથાર્થ :- સાધુ મહાત્માઓમાં આવેલી જ્ઞાનસારાષ્ટકની આ ગરિમા કોઈ અચિત્ત્વ છે કે જેના દ્વારા તે જીવોની નિયમા ઊર્ધ્વ ગતિ જ થાય છે, ક્યારેય અધઃપાત થતો નથી. ॥૮॥
ટીકા ઃ:- ‘ચિયા ાપીત્યાવિ' મો મળ્ય ! સાધૂનાં-પરમપ-નિષ્પાવાનાં જાપિ મચિન્ત્યા-ચિન્તિતુમશયા, જ્ઞાનમાર્ગરિષ્ઠતા અસ્તિ। જ્ઞાનં-યથાર્થस्वपरावबोधः, तस्य सारं चारित्रं वैराग्यता, तस्य गरिष्ठता - गरिमा- गुरुत्वं तत्स्वरूपमचिन्त्यं-दुर्विचारम् । अन्या गुरुता अधोगमनहेतुः, ज्ञानगुरुत्वमूर्ध्वताहेतुः, अत एवाचिन्त्येति । यया-गरिष्ठतया ऊर्ध्वगतिरेव स्यात्, अधःपातः कदापि न भवति । ऊर्ध्वता द्रव्यतो जीवेभ्यः उच्चत्वगोत्रोदयादिरूपा, क्षेत्रतः ऊर्ध्वलोकगमनरूपा, भावतः सम्यक्त्वाद्युत्तरोत्तरगुणारोहणरूपा, तेन यो ज्ञानगरिष्ठः, स ऊर्ध्वत्वं -स्वर्गापवर्गलक्षणं सम्यक्चारित्रादिगुणलक्षणमूर्ध्वत्वं प्राप्नोति ॥८॥
વિવેચન :- જે જે સાધુસંત-મહાત્મા પુરુષો જ્ઞાનસારાષ્ટકનો અભ્યાસ કરે છે, જ્ઞાનસાર કંઠસ્થ કરે છે, પ્રતિદિન સ્વાધ્યાય કરે છે તેઓની જ્ઞાનગૌરવતા કોઈ અચિત્ત્વ છે. હે ભવ્ય જીવ ! પરમપદના સાધક એવા મહાત્મા પુરુષો જ્ઞાનસાર ભણીને તેના જ્ઞાનથી ગૌરવશાલી બને છે, તે જ્ઞાનની ગરિષ્ઠતા (ગૌરવતા) કોઈ અચિત્ત્વ છે. ચિંતવી પણ ન શકાય તેવી છે. જરા સાવધાનીથી સાંભળ.
ભાવાર્થ આ પ્રમાણે છે કે યથાર્થ રીતે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વિવેક થવો અર્થાત્ ૧. તીવ્રમોટ્ટાક્ત્તિશ્લેષોર્થનામ્ આ પાઠને બદલે બીજી કેટલીક પ્રતોમાં તીવ્રમોહાનિોષશોષવર્થનામ્ આવો પણ પાઠ છે. તેનો અર્થ ઉપરના અર્થને અનુસારે કરવો. “તે મહાત્માઓને તીવ્ર મોહરૂપી, અગ્નિજન્ય દાહ (બળતરા)થી થનારી અંગોના શોષાવાની પીડા થતી નથી. ટીકાકારશ્રીએ પ્રથમ પાઠ પ્રમાણે અર્થ સમજાવેલ છે.