________________
જ્ઞાનસાર
८३६
સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨ છે માટે ઉપચરિત ગાય જરૂર કહેવાય, પણ દોહવા બેસાય નહીં. આમ પણ જાણવું જોઈએ. આ રીતે બીજા નયોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. આ રીતે સર્વે પણ નયોનો અભ્યાસ કરી કોઈ એક પક્ષના આગ્રહનો ત્યાગ કરી જ્યાં જે ઉપકારી હોય ત્યાં તે જોડીને સર્વ ધર્મો પ્રત્યે સમભાવનું આલંબન લઈને પોતાના આત્માના ધર્મમાં સ્થિરતા મેળવવી એ જ હિતકારી છે. એકાન્ત આગ્રહ હિતકારી નથી. સાપેક્ષવાદી થવું, સમન્વયવાદી થવું પણ Bहाडी न थj. ॥3॥
लोके सर्वनयज्ञानां, ताटस्थ्यं वाप्यनुग्रहः । स्यात्पृथङ्नयमूढानां, स्मयार्तिर्वातिविग्रहः ॥४॥
ગાથાર્થ :- આ સંસારમાં સર્વનયોને જાણનારા માણસોની અંદર તટસ્થપણું (એટલે સમવૃત્તિપણું) તથા અનુગ્રહ બુદ્ધિ (ઉપકારક બુદ્ધિ) હોય છે. પરંતુ ભિન્ન-ભિન્ન એક-એક નયના આગ્રહવાળા જીવોમાં માનોન્માનની (અભિમાનની) પીડા તથા અતિશય કલેશવૃત્તિ मात्र ४ डोय:छ. ॥४॥
st :- "लोके सर्वेति" लोके-दक्षजनसमूहे सर्वनयज्ञानां-सर्वनयरहस्यविज्ञानां ताटस्थ्यं-तटस्थत्वं-पार्श्ववर्तित्वम्, वा इति व्यवस्थायाम् । अपि-समुच्चये, अनुग्रहः -उपकाराय भवति । सर्वत्र परीक्षकत्वं हितम् । पृथङ्नयमूढानां-एकैकनयपक्षग्रहवर्तिनाम, स्मयातिः-मानोन्मानपीडा, वा-अथवा, अतिविग्रहः-कदाग्रहः स्यात् -भवति । उक्तञ्च -
कालो सहाव णियई, पुवकयं पुरिसकारणेगंता । मिच्छत्तं ते चेव उ, समासओ होंति सम्मत्तं ॥३-५३॥
(सन्मतिप्रकरणकाण्ड-३-५३) अत्र पुरुषाकारस्य उपादानकारणत्वाद् मुख्यत्वम्, कालस्वभावपूर्वकृतानां तु निमित्तासाधारणापेक्षाकारणत्वम्, नियतेश्च कारणत्वमौपचारिकम्, अस्या अनित्यत्वं विचारामृतसङ्ग्रहे उक्तमस्ति इति नियतपक्षः (नियतिपक्षः) आजीविकानां मिथ्याग्रहरूपः, न जैनानाम्, एवमंशस्यापि जैनमार्गे विवक्षितत्वात् समुच्चयवचनम् ॥४॥
વિવેચન :- આ સંસારમાં જે નિપુણ એટલે કે ચતુર, સમજુ મનુષ્યવર્ગ છે તેવા જનસમૂહમાં સર્વ નયોને યથાર્થપણે જાણનારા તથા જ્યાં જ્યાં જે જે નયની પ્રધાનતા કરવાથી