________________
૮૩૪ સર્વનયાશ્રયણાષ્ટક - ૩૨
જ્ઞાનસાર પાંચમા અંગરૂપ ભગવતીજી સૂત્રમાં મંડુકશ્રાવકના અધિકારથી જાણી લેવો. અન્યશાસ્ત્રોમાં પણ આ વિષયમાં આ જ પ્રમાણે કહ્યું છે તે સાક્ષીપાઠો આ પ્રમાણે છે -
सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसिओ भणिओ । तइओ य निरवसेसो, एस विही होइ अणुओगे ॥४॥
(આવશ્યકનિયુક્તિ ગાથા-૨૪) अनुयोगशून्यं वचनं न प्रमाणं भवति । उक्तञ्च - अपरिच्छियसुअणिहसस्स, केवलमभिण्णसुत्तचारिस्स । सव्वुज्जमेण वि कयं, अण्णाणतवे बहुं पडइ ॥४१५॥
(ઉપદેશમાલા ગાથા ૪૧૫) પુનઃ માત્રાર્થે: (મિકાવાર્થે:) - तत्रापि न च द्वेषः, कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनम्, सर्वं च यत्प्रवचनादन्यत् ॥१६-३॥
(ષોડશBRUT ૨૬-૩) इति विचार्य स्याद्वादोपयोगेन सर्वनयज्ञता कार्या । पुनः साम्यमवलम्बनीयं पक्षपरिहारेण आत्मधर्मनिष्ठता हिता । ॥३॥
જ્યારે જ્યારે સૂત્ર સંબંધી અનુયોગ-વ્યાખ્યાન કરવાનું હોય, સૂત્રોના અર્થો સમજાવવાના હોય ત્યારે ત્યારે (૧) સૂત્રનો માત્ર અર્થ જ સમજાવાય આ પ્રથમવિધિ, (૨) ત્યારબાદ સૂત્રની સાથે સ્પર્શવાળી નિયુક્તિથી મિશ્રિત અર્થ કહેવાય, આ બીજી વિધિ, અને (૩) ત્યારબાદ પ્રાસંગિક-અપ્રાસંગિક એવા ઘણા વિવેચનવાળો સઘળો અર્થ કહેવાય આ ત્રીજી વિધિ. આમ સૂત્રનો અર્થ સમજાવવાની અનુયોગની બાબતમાં ત્રણ પ્રકારની વિધિ શ્રી તીર્થકરગણધર ભગવંતોએ કહેલી છે. (આવશ્યકનિયુક્તિ ગાથા-૨૪)
અભ્યાસ કરનારા શિષ્યવર્ગની મતિનો વ્યામોહ ન થાય, એટલે કે ભણનારા શિષ્યોની મતિ મુંઝાય નહીં એટલા માટે સૂત્રોના અર્થોની વાચના આપતાં પ્રથમ સૂત્ર સંબંધી જ માત્ર અર્થ સમજાવવો જોઈએ, સૂત્ર સંબંધી પ્રાથમિક અર્થ સમજાવ્યા પછી સૂત્રોમાં આવતા શબ્દો અને પદોનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તથા નિયુક્તિથી થતો જે અર્થ હોય તેનો અનુયોગ-વ્યાખ્યાન કરે. આ અર્થ આપવાની બીજી વિધિ જાણવી. ત્યારબાદ શિષ્યોની બુદ્ધિ વિશાળ બનતાં તે