________________
જ્ઞાનમંજરી
તપોષ્ટક - ૩૧
૮૧૩
દેશના સાંભળવાની શક્તિ, ચક્ષુથી વાંચવાની અને પ્રતિમાદર્શનની શક્તિ, જીભથી દેશના આપવાની શક્તિ ક્ષય ન પામે, દરેક સાધનામાં ઈન્દ્રિયોની શક્તિ ચાલુ રહે તેવો તપ કરવો.
આત્માની ચેતનાશક્તિ અને પ્રગટ થયેલી વીર્યશક્તિ ધર્મનાં અનુષ્ઠાનોનું આચરણ કરવામાં સાધનભૂત છે. આવી સાધનભૂત આ ચેતનાશક્તિ અને વીર્યશક્તિ હાનિ ન પામે ક્ષીણ ન થઈ જાય તેવો અને તેટલો તપ કરવો જોઈએ. આ પ્રમાણે તપ કરવો તે શુદ્ધ તપ જાણવો. III
मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये ।
बाह्यमाभ्यन्तरं चेत्थं, तपः कुर्याद् महामुनिः ॥८ ॥
ગાથાર્થ :- મૂલગુણોની અને ઉત્તરગુણોની શ્રેણીનું વિશાળ સામ્રાજ્ય સિદ્ધ કરવા માટે મહામુનિએ બાહ્યતપ અને અભ્યન્તર તપ આ રીતે કરવો જોઈએ.
ટીકા :- ‘“મૂોત્તર મુળેતિ'' મહામુનિ:-પરમનિર્પ્રન્ગઃ રૂટ્યું તપ: યંત્। મૂિત तपः ? मूलोत्तरगुणश्रेणिप्राज्यसाम्राज्यसिद्धये मूला:- मूलभूता ज्ञानचारित्रादयः गुणाः, उत्तराः-समितिगुप्त्यादयः गुणाः, तेषां श्रेणिः - विशेषतः गुणप्राग्भावरूपा, ता પ્રાë-પ્રવ્રુદું યત્સામ્રાજ્યં-પ્રભુત્વ, તસ્ય સિદ્ધિ:-નિષ્પત્તિ:, તસ્ય નૃત્યનેન સ્વીયगुणप्रभुत्वनिष्पत्त्यर्थं बाह्यं लोकोल्लासकारणत्वात् प्रभावकतामूलमाभ्यन्तरमन्यलोकैः ज्ञातुमशक्यं स्वगुणैकतारूपञ्च तपः कार्यम् ।
વિવેચન :- જે ખરેખર વાસ્તવિક મહામુનિ છે પરમનિર્પ્રન્થ મહાત્મા છે. રાગ-દ્વેષ -પરિગ્રહાદિક ગાંઠથી જે અત્યન્ત મુક્ત છે તેવા મુનિમહારાજે આવો તપ કરવો જોઈએ. પ્રશ્ન :- આવો એટલે કેવો તપ કરવો જોઈએ ? તે તો સમજાવો.
ઉત્તર :- સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયી એ મૂલગુણ કહેવાય છે અને તેની પ્રાપ્તિના ઉપાયભૂત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પંચાચારનું પાલન ઈત્યાદિ જે ગુણો છે. તે ઉત્તરગુણો કહેવાય છે. તે રત્નત્રયી સ્વરૂપ મૂલગુણોની અને સમિતિ-ગુપ્તિ રૂપ ઉત્તરગુણોની જે શ્રેણી એટલે કે મૂલગુણો અને ઉત્તરગુણોનું ક્રમશઃ ઉત્તરોત્તર વિશેષ-વિશેષ પ્રગટીકરણપણું-પ્રગટ કરવાપણું. તેના વિશાળ સામ્રાજ્યની સિદ્ધિ માટે બાહ્ય અને અભ્યન્તર તપ મહામુનિએ કરવો જોઈએ. તપના પ્રભાવે ઉત્તરોત્તર ગુણોની શ્રેણિ પ્રગટ થાય છે. આવરણભૂત કર્મોનો ક્ષયોપશમ અને ક્ષય વધતાં ગુણોનો આવિર્ભાવ
૨૦