________________
તપોષ્ટક - ૩૧
જ્ઞાનસાર
८०८
સર્વે પણ અનુષ્ઠાનોને હિતકારી જ છે-કલ્યાણકારી જ છે એમ જાણે છે. જ્યાં કલ્યાણ અને હિત જ દૃષ્ટિગોચર થતું હોય ત્યાં કષ્ટકારી આચરણ પણ સુખદાયી જ દેખાય છે અને તે તે આચરણ કરવામાં આ જીવ ઉત્સાહિત અને આનંદિત હોય છે.
દુઃખમાં સુખ માનનારા આ તપસ્વી મહાત્માઓ કેવા હોય છે ? તે જણાવે છે કે “મુક્તિપદ મેળવવાની જે લગની લાગી છે. હૃદયમાં સાધ્ય સાધવાની તીવ્ર જે ભાવના પ્રગટી છે” તેથી તેના સુંદર ઉપાયભૂત-પ્રબળ કારણ સ્વરૂપ જે સંવર અને નિરામય ધર્માનુષ્ઠાન છે તે ધર્માનુષ્ઠાનોમાં પ્રવર્તેલા અર્થાત્ તે ધર્માનુષ્ઠાનો આચરવામાં ઘણા જ ઉદ્યમશીલ બનેલા મહાત્માઓને કોઈપણ કષ્ટકારી અનુષ્ઠાનોમાં દુઃખ લાગતું નથી. આમ આ ઉપરોક્ત કથનથી સમજાશે કે પોતાના આત્માના ધર્મની સાધના કરવામાં સાધુ-સંતોને આનંદ આનંદ જ હોય છે ક્યારેય ક્યાંય દુઃખ હોતું નથી.
જો આત્માને ઉપાયમાં દુઃખબુદ્ધિ હોય છે તો તે આત્મા સાચો સાધક નથી. આરાધક નથી. તેને સાધ્યની મીઠાશ લાગી નથી આમ જાણવું. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં આમ કહ્યું છે કે -
“ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન, ભ્રાન્તિ, અન્યમુદ્, રોગ અને આસંગ આ ચિત્તના આઠ દોષો છે તે દોષોથી ભરેલા ચિત્તમાંથી બુદ્ધિશાળી મહાત્માએ અત્યન્ત પ્રયત્નપૂર્વક (અતિશય બળ વાપરવાપૂર્વક) તે દોષોનો ત્યાગ કરવો જોઈએ. ૧૪-૩॥
ઉપરની ચર્ચાથી સમજાશે કે જ્યારે સાધ્યની મીઠાશ હૃદયમાં વર્તતી હોય છે ત્યારે સાધનની પ્રવૃત્તિ દુઃખદાયી હોય તો પણ તે જીવને તે પ્રવૃત્તિ સુખદાયી જ લાગે છે. ૪ इत्थं च दुःखरूपत्वात्, तपो व्यर्थमितीच्छताम् । बौद्धानां निहता बुद्धिबद्धानन्दपरिक्षयात् ॥५॥
ગાથાર્થ :- આ રીતે તપ કરવો તે દુઃખરૂપ હોવાથી વ્યર્થ છે આમ માનનારા બૌદ્ધદર્શનના અનુયાયીઓની બુદ્ધિ જ્ઞાનસંબંધી આનંદનો નાશ થયેલ હોવાથી હણાયેલી છે આમ સમજવું. ॥૫॥
ટીકા :- “સ્થં ચ દુવ્રુતિ'' નૃત્યં યત્તપ: મિતિ માસનપૂર્વમ્, તત્તપ: વ્યર્થ-નિષ્ઠતમ્। સ્માત્ ? દુ:લપત્ત્તાત્ । તપ:રને વ દુ:ોદ્વેનૌ, યત્ર ૧. પૂજ્ય ઉપાધ્યાયજી મ. વૌદ્ધાનાઽપરિક્ષયાત્ આવો પાઠ લખે છે અને ટીકાકારશ્રી દેવચંદ્રજી મહારાજશ્રી વૌજ્ઞાનપરિક્ષયાત્ પાઠ લખે છે તત્ત્વકેવલિગમ્ય જાણવું.