________________
૭૮૦
વિજ્ઞાનસાર
ધ્યાનાષ્ટક - ૩૦ ત્યાં ધ્યાનનું સ્વરૂપ સમજાવતાં કહે છે - ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यैकतां गतम् । मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥१॥
ગાથાર્થ :- ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ ત્રણે ભાવો જે મહાત્માને એકતાને પામ્યા, છે અનન્ય ચિત્તવાળા તે મુનિને ક્યારેય દુઃખ હોતું નથી. તેના
ટીકા :- “ધ્યાત ધ્યેયણિતિ' યસ્થ પુરુષી ધ્યાતા તથા ધ્યેયં તથા ધ્યાનમતત્ त्रयं यस्य जीवस्य एकतामेकीभावं गतम्, तस्य मुनेः अनन्यचित्तस्य-तद्रूपचेतनामयस्य अर्हत्स्वरूपात्मस्वरूपतुल्योपयोगगृहीतस्य दुःखं-स्वगुणावरणरूपं पुद्गलसन्निकर्षजन्यं, न विद्यते-नास्तीत्यर्थः । उक्तञ्च प्रवचनसारे -
जो जाणदि अरिहंते, दव्वत्त-गुणत्त-पज्जवत्तेहिं । सो. जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ॥८०॥ ધ્યાતા-૩માત્મા, ધ્યેયં-તસ્વરૂપ, ધ્યાનં-તસૈકાગ્રતા | तत्र अभेदता, एतत्त्रयमेकत्वं प्राप्तं मोहक्षयाय भवति ॥१॥
વિવેચન :- ધાતા એટલે ધ્યાન કરનાર આત્મા, ધ્યેય એટલે ધ્યાન કરવા યોગ્ય વિતરાગ પરમાત્મા, અને ધ્યાન એટલે ધ્યેયમાં ધ્યાતાના ચિત્તની સ્થિરતા, જે મહાત્મા પુરુષને
ધ્યાતા તથા ધ્યેય તથા ધ્યાન આ ત્રણે તત્ત્વો એકમેકતાને-અભેદભાવને પામ્યાં છે. જે મુનિ મહારાજા ધ્યાતા છે, ધ્યેય એવા પરમાત્મામાં એકલીન બન્યા છે. અન્ય કોઈ સ્થાનમાં જેનું ચિત્ત ગયું નથી અને જતું નથી, જે મુનિનો આત્મા આત્મતત્વના મૂલભૂત શુદ્ધ સ્વરૂપાત્મક ચેતનામય બન્યો છે. અરિહંત પરમાત્માનું સ્વરૂપ અને પોતાના આત્માનું સ્વરૂપ તુલ્ય છે (ભલે એક નિરાવરણ હોય અને બીજું સાવરણ હોય તો પણ સત્તાથી સમાન છે) આમ સમજીને તુલ્ય સ્વરૂપે ઉપયોગમાં જેણે ગ્રહણ કર્યું છે તે મુનિમહાત્માને પોતાના આત્માના ગુણોનું આચ્છાદન કરનારા જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મોના ઉદયરૂપ કાર્મણ વર્ગણાના પુદ્ગલોના સક્નિકર્ષજન્ય દુઃખ ક્યારેય લાગતું નથી.
જેમ એક માણસ પાસે લાખોની કેશ છે અને લાખોના દાગીના છે અને તે સઘળુંય પોતાની પાસે ઘેર છે અને બીજા એક માણસ પાસે એટલા જ પ્રમાણની લાખોની કેશ બેંકમાં તેના ખાતામાં જમા છે અને લાખોના દાગીના બેંકના પોતાના ખાનામાં મુકેલા છે. હાલ ઘરે નથી. છતાં હું પણ તે માણસ જેટલો જ ધનવાન છું. આમ બીજા માણસને પણ