________________
૭૭૩
જ્ઞાનમંજરી
ભાવપૂજાષ્ટક - ૨૯ તથા દ્રવ્યપૂજામાં પરમાત્માની સામે જેમ નૃત્ય કરવામાં આવે છે ગીતો ગાવામાં આવે છે અને વાજીંત્રો વગાડવામાં આવે છે આવી રીતે ગીત, નૃત્ય અને વાજીંત્ર આ ત્રણેના તાલની એકતા સાધવાપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. તેમ ભાવપૂજામાં મન, વચન અને કાયા એમ ત્રણે યોગોનું આત્મસાધનામાં પ્રવર્તાવવું તે નૃત્ય, આવા પ્રકારનું નૃત્ય કરવામાં તું તત્પર થા - ઉદ્યમવાળો થા. તારા મન-વચન અને કાયાના યોગોને આત્મતત્ત્વની સાધનામાં જોડ.
તથા યોગોને સાધનામાં જોડવા રૂપ નૃત્યની સાથે સાથે ઉત્કૃષ્ટ અધ્યાત્મદશામય ધારણા-ધ્યાન અને સમાધિ રૂપ મુક્તિમાર્ગની સાધના સ્વરૂપ યોગદશામાં (આઠ અંગો પૈકીનાં) છેલ્લાં ત્રણ અંગોનું આત્મામાં પરિણમન થવા રૂપ તૂર્યાદિવાળી (તૂર્ય એટલે વાજીંત્ર અને આદિ શબ્દથી ગીત-નૃત્ય વગેરે સંગીતની સર્વસામગ્રી સાથે) ત્રણ પ્રકારની પૂજાવાળો તું થા. જેમ દ્રવ્યપૂજામાં ગીત-નૃત્ય અને વાજીંત્ર એમ ત્રણ પ્રકારની ભક્તિરૂપ દ્રવ્યપૂજા હોય છે. તેમ ભાવપૂજામાં મન-વચન અને કાયાના યોગોનું આત્મસાધનામાં પ્રવર્તન કરવા રૂપે ધારણા, ધ્યાન અને સમાધિવાળા થવું એમ ત્રણ પ્રકારની પૂજા કરવાવાળો તું થા.
આ પ્રમાણે દ્રવ્યપૂજાથી જેમ બાહ્ય આનંદ ઉપજે છે તેમ અભ્યત્તરપૂજા વડે (એટલે કે ભાવપૂજા વડે) આત્મતત્ત્વની પ્રાપ્તિ રૂપ આનંદમય અને પોતાના જ ચૈતન્યગુણવાળા પોતાના આત્માને તે ઉત્તમ જીવ! તું પરમાત્મારૂપ બનાવ. તું જ અંતરાત્મા મટીને પરમાત્મા બન. /૬
उल्लसन्मनसः सत्य-घण्टां वादयतस्तव । भावपूजारतस्येत्थं, करक्रोडे महोदयः ॥७॥
ગાથાર્થ :- આ રીતે સત્યતત્ત્વરૂપી ઘટાને વગાડતા અને ઉલ્લસિત મનવાળા તથા ભાવપૂજામાં ઓતપ્રોત એવા તને હે ઉત્તમ જીવ ! મહોદય (મોક્ષપ્રાપ્તિ) હથેળીમાં જ છે. Roll.
ટીકા :- “37” તિ” રૂલ્ય ભાવપૂનારૂતિએ તવ મહોયઃ-મોક્ષ करक्रोडे-हस्ततलेऽस्ति । किं कुर्वतः ? उल्लसन्मनसः-भावोल्लासयुक्तचित्तस्य सत्पर्यायरूपां घण्टां नादयतः-शब्दं कुर्वतः । इत्यनेन सहर्षसत्यमनउल्लासरूपां घण्टां वादयतः सतः पूर्वोक्तपूजाकरणेन सर्वस्वशक्तिप्रादुर्भावरूपो मोक्षो भवति ॥७॥
વિવેચન :- દ્રવ્ય-પૂજાવિધિમાં લુણ ઉતારણ, આરતિ અને મંગલદીપ પછી