________________
૭૬૮ ભાવપૂજાષ્ટક - ૨૯
જ્ઞાનસાર ગાથાર્થ :- આઠ મદનાં સ્થાનોના ભેદોનો ત્યાગ કરવા વડે પરમાત્માની આગળ આઠ મંગલનું આલેખન કર અને શુભસંકલ્પો રૂપી કૃષ્ણાગરુ નામના ધૂપને જ્ઞાનરૂપી અગ્નિમાં નાખીને નાશ કર. આમ ધૂપપૂજા કર. ૪ll
ટીકા :- “સ્થાનેતિ' મા-માનવોન્માદા, તસ્ય સ્થાનનિ, તાનિ અa fમવા:– भेदाः, तासां त्यागैः-वर्जनैः अष्टमङ्गलीमग्रे लिख । तथा ज्ञानाग्नौ शुभसङ्कल्प:शुभरागपरिणामः तद्रूपं काकतुण्डं-कृष्णागरुं धूपय । इत्यनेन रागाध्यवसायाः शुभाः पुण्यहेतवः सिद्धिसाधने त्याज्या एव । अतो ज्ञानबलेन तत्त्यागो भवति ॥४॥
વિવેચન :- મદ એટલે અહંકાર, મોટાઈ, માનનું તોફાન. તે મદ કહેવાય છે તે આઠ જાતના છે. યોગશાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ કહ્યું છે કે -
जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतैः ।
कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ જાતિમદ ૧, લાભમદ ૨, કુલમદ ૩, ઐશ્વર્યમદ ૪, બલમદ ૫, રૂપમદ ૬, તપમદ ૭ અને શ્રતમદ ૮ આમ આઠ પ્રકારનાં અહંકારનાં-અભિમાનનાં સ્થાનો છે. તે આઠ સ્થાનો રૂપી જે મદના આઠ ભેદો છે તેનો ત્યાગ કરવા વડે પરમાત્માની સામે આઠ મંગલનું આલેખન કર, સારાંશ કે દ્રવ્યપૂજામાં પરમાત્માના પ્રતિબિંબની સામે જેમ અષ્ટમંગલ આલેખવાના હોય છે તેમ ભાવપૂજામાં તારા પોતાના આત્માના આત્મજીવનમાં આઠ પ્રકારના મદોનો (અભિમાનોનો-અહંકારોનો) ત્યાગ વસાવ. આઠ મદોનો ત્યાગ કરવો એ જ અષ્ટમંગલનું આલેખન છે.
તથા જ્ઞાનાત્મક અગ્નિમાં શુભસંકલ્પો રૂપી એટલે કે પ્રશસ્ત એવા રાગના પરિણામો રૂપી કાકતુંડ નામના (કૃષ્ણાગરુ નામના) ધૂપને ધરવા દ્વારા ધૂપપૂજા કર. જેમ પરમાત્માના પ્રતિબિંબની સામે દ્રવ્યપૂજામાં ધૂપ કરવાનો આવે છે અને તેમાં પણ કૃષ્ણાગરુ જેવો વિશિષ્ટ ધૂપ નાખવામાં આવે છે. અગ્નિમાં નાખીને બાળવામાં આવે છે જેની સુગંધથી હવામાનમાં રહેલી દુર્ગધ દૂર થાય છે. તેમ અહીં ભાવપૂજામાં શાસ્ત્રીય વિશાળ જ્ઞાનદશા તું પ્રાપ્ત કર અને અશુભ સંકલ્પો જેમ ત્યજવા જેવા છે એમ ઉપર આવેલા આત્માને શુભ સંકલ્પો પણ મોક્ષમાર્ગમાં બાધક હોવાથી ત્યજવા જેવા છે. તે શુભ સંકલ્પો રૂપી કૃષ્ણાગરુ ધૂપ જ્ઞાનઅગ્નિમાં નાખીને બાળી નાખ. આમ ભાવપૂજા-ધૂપપૂજા કર. ૧. ઉમા શબ્દ આકારાન્ત સ્ત્રીલિંગ છે. તેથી ઉપર રૂપ બરાબર છે. તથા તણાં જે લખ્યું છે તે
બરાબર છે. તેષાં લખવાની જરૂર નથી. મેર શબ્દ જો હોત તો તેષાં થાત.