SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮ ૭૫૭ (૮) ઉપર સમજાવ્યા પ્રમાણેના નિયામયજ્ઞને (જ્ઞાનયજ્ઞને) કરવા વાળો આ બ્રાહ્મણ ક્યારેય પાપો વડે લપાતો નથી. II૭-૮ ટીકા - “બ્રહ્મળ રૂત્તિ” હાળિ-માત્માન અતિસર્વસ્વ:, ગર્તિ સ્થાપિત सर्वस्वं-सर्वात्मपरिणमनरूपमित्यनेन ज्ञानवीर्यलाभभोगादयः स्वक्षयोपशमीभूता भावा आत्मनि एव अर्पिता:-स्थापिता येन सः । तथा ब्रह्म-आत्मा आत्मज्ञानं वा, तत्रैव दृग-दृष्टिदर्शनं श्रद्धानम् । (तथा) ब्रह्मसाधन:-ब्रह्म-ब्रह्मज्ञानमेव साधनं यस्य सः ब्रह्मसाधनः । अथवा ब्रह्म-आत्मा एव साधने यस्य स एवंविधः साधकजीवः ब्रह्मणि-साधकावस्थापरिणतस्वात्मनि आधारभूते, ब्रह्मणा-आत्मज्ञानवीर्याभ्याम् अब्रह्म-अज्ञानं पुद्गलकर्म वात्मनः भिन्नं जुह्वत्-( होमं कुर्वन् ) भस्मीचकार । कथम्भूतः साधकपुरुषः ? ब्रह्म-ब्रह्मचर्यं स्वरूपरमणरूपं, तस्य गुप्तिमान्तद्गुप्तियुक्तः । इत्यनेन आत्मा कर्ता आत्मस्वरूपेण करणभूतेन आत्मस्वरूपरोधकं ज्ञानावरणादिकर्म आत्मनि स्थितं निवारयति ॥७॥ વિવેચન :- આવા પ્રકારનો બ્રાહ્મણ અર્થાત્ મુનિ આવા પ્રકારનો નિયાગ (હોમ હવન) કરે તો તે બ્રાહ્મણ પાપોથી લપાતો નથી. અહીં આવા પ્રકારનો બ્રાહ્મણ એટલે કેવા પ્રકારનો બ્રાહ્મણ (શ્રમણ)? આ વિષય જણાવવા માટે ગ્રંથકારશ્રીએ મૂલગાથામાં સાતમી ગાથામાં પાંચ અને આઠમી ગાથામાં ત્રણ એમ પ+૩ = ૮ વિશેષણો કહ્યાં છે. તથા અહીં બ્રાહ્મણ વિશેષ્ય જે લખ્યું છે તે પણ બ્રાહ્મણકુળમાં જન્મેલો અને બ્રાહ્મણની જાતિવાળો પુરુષ એવો અર્થ ન લેવો. પણ બ્રહ્મવિદ્યા (આત્મવિદ્યા) ભણનારો અર્થાત્ આત્મતત્ત્વના લક્ષ્યવાળો પુરુષ તેને જ બ્રાહ્મણ કહેવાય છે. આવા પ્રકારના આત્મતત્ત્વના લક્ષ્યવાળા જે મુનિ-મહારાજા છે તે અહીં બ્રાહ્મણ શબ્દથી જાણવા. હવે તે બ્રાહ્મણનાં (આત્મજ્ઞાનીનાં) વિશેષણો આ પ્રમાણે - (૧) પોતાના આત્મામાં જ અર્પણ કર્યું છે સર્વસ્વ જેણે એવો પુરુષ, જે પુરુષે પોતાને પ્રગટ થયેલું મતિ-શ્રુત આદિ જ્ઞાન, ચક્ષ-અચકું દર્શન, દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યાત્મક શક્તિ, આ બધા ગુણો પોતાના જ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલા છે. તે ક્ષાયોપથમિક ભાવના સર્વે ગુણો આત્માના સ્વરૂપને પ્રગટ કરવામાં જક્ષાયિક ભાવના ગુણો મેળવવામાં જ જેણે સમર્પિત કર્યા છે. એવો જે પુરુષ તે બ્રાહ્મણ જાણવો. લાયોપથમિક ભાવના પ્રગટ થયેલા પોતાના સર્વે પણ ગુણોને પોતાના આત્મતત્ત્વની
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy