________________
જ્ઞાનમંજરી નિયાગાષ્ટક - ૨૮
૭૫૭ (૮) ઉપર સમજાવ્યા પ્રમાણેના નિયામયજ્ઞને (જ્ઞાનયજ્ઞને) કરવા વાળો આ બ્રાહ્મણ ક્યારેય પાપો વડે લપાતો નથી. II૭-૮
ટીકા - “બ્રહ્મળ રૂત્તિ” હાળિ-માત્માન અતિસર્વસ્વ:, ગર્તિ સ્થાપિત सर्वस्वं-सर्वात्मपरिणमनरूपमित्यनेन ज्ञानवीर्यलाभभोगादयः स्वक्षयोपशमीभूता भावा आत्मनि एव अर्पिता:-स्थापिता येन सः । तथा ब्रह्म-आत्मा आत्मज्ञानं वा, तत्रैव दृग-दृष्टिदर्शनं श्रद्धानम् । (तथा) ब्रह्मसाधन:-ब्रह्म-ब्रह्मज्ञानमेव साधनं यस्य सः ब्रह्मसाधनः । अथवा ब्रह्म-आत्मा एव साधने यस्य स एवंविधः साधकजीवः ब्रह्मणि-साधकावस्थापरिणतस्वात्मनि आधारभूते, ब्रह्मणा-आत्मज्ञानवीर्याभ्याम् अब्रह्म-अज्ञानं पुद्गलकर्म वात्मनः भिन्नं जुह्वत्-( होमं कुर्वन् ) भस्मीचकार ।
कथम्भूतः साधकपुरुषः ? ब्रह्म-ब्रह्मचर्यं स्वरूपरमणरूपं, तस्य गुप्तिमान्तद्गुप्तियुक्तः । इत्यनेन आत्मा कर्ता आत्मस्वरूपेण करणभूतेन आत्मस्वरूपरोधकं ज्ञानावरणादिकर्म आत्मनि स्थितं निवारयति ॥७॥
વિવેચન :- આવા પ્રકારનો બ્રાહ્મણ અર્થાત્ મુનિ આવા પ્રકારનો નિયાગ (હોમ હવન) કરે તો તે બ્રાહ્મણ પાપોથી લપાતો નથી. અહીં આવા પ્રકારનો બ્રાહ્મણ એટલે કેવા પ્રકારનો બ્રાહ્મણ (શ્રમણ)? આ વિષય જણાવવા માટે ગ્રંથકારશ્રીએ મૂલગાથામાં સાતમી ગાથામાં પાંચ અને આઠમી ગાથામાં ત્રણ એમ પ+૩ = ૮ વિશેષણો કહ્યાં છે. તથા અહીં બ્રાહ્મણ વિશેષ્ય જે લખ્યું છે તે પણ બ્રાહ્મણકુળમાં જન્મેલો અને બ્રાહ્મણની જાતિવાળો પુરુષ એવો અર્થ ન લેવો. પણ બ્રહ્મવિદ્યા (આત્મવિદ્યા) ભણનારો અર્થાત્ આત્મતત્ત્વના લક્ષ્યવાળો પુરુષ તેને જ બ્રાહ્મણ કહેવાય છે. આવા પ્રકારના આત્મતત્ત્વના લક્ષ્યવાળા જે મુનિ-મહારાજા છે તે અહીં બ્રાહ્મણ શબ્દથી જાણવા. હવે તે બ્રાહ્મણનાં (આત્મજ્ઞાનીનાં) વિશેષણો આ પ્રમાણે -
(૧) પોતાના આત્મામાં જ અર્પણ કર્યું છે સર્વસ્વ જેણે એવો પુરુષ, જે પુરુષે પોતાને પ્રગટ થયેલું મતિ-શ્રુત આદિ જ્ઞાન, ચક્ષ-અચકું દર્શન, દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યાત્મક શક્તિ, આ બધા ગુણો પોતાના જ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલા છે. તે ક્ષાયોપથમિક ભાવના સર્વે ગુણો આત્માના સ્વરૂપને પ્રગટ કરવામાં જક્ષાયિક ભાવના ગુણો મેળવવામાં જ જેણે સમર્પિત કર્યા છે. એવો જે પુરુષ તે બ્રાહ્મણ જાણવો. લાયોપથમિક ભાવના પ્રગટ થયેલા પોતાના સર્વે પણ ગુણોને પોતાના આત્મતત્ત્વની