________________
૭૫૦ નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર ગાથાર્થ :- સાવદ્યમાં પ્રવૃત્તિશીલ એવા દ્રવ્યપૂજાના અધિકારી ગૃહસ્થને વીતરાગ પ્રભુનું પૂજા આદિ કાર્ય એ ઉત્કૃષ્ટ બ્રહ્મયજ્ઞ જાણવો, પરંતુ યોગી મહાત્માને તો જ્ઞાનયજ્ઞ એ જ બ્રહ્મયજ્ઞ જાણવો. ll૪
ટીકા :- “બ્રહ્મયજ્ઞ” રૂતિ ગૃહસ્થચ-સાવદ્યપ્રવૃત્તસ્ય ધારિUT:-યોથર્ચ न्यायोपार्जितवित्तादिगुणवतः, वीतरागस्य पूजादिकर्मकरणं परं-उत्कृष्टं ब्रह्मयज्ञ इति ज्ञेयम् । संवराभावे आश्रवाणां परावृत्तिः प्रशस्तीकरणं युक्तम् । उक्तञ्च -
अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणे, दव्वथए कूवदितो ॥१२२४॥
(पञ्चवस्तु प्रकरण गाथा १२२४) इति रागपापस्थानस्य प्रशस्तताकरणोपदेशः । आगमे सर्वाश्रवाणां प्रशस्तता साधने गृहीता । तथा च मुनिविनये शासनविनये हर्षादि (वर्षादि) जीवघातोऽपि न बन्धाय । तथा प्रज्ञापनायां (पद-११, सूत्र-१७४) भाषा चतुष्टयमपि मुनीनाम्, इत्यादिकम् ।
ततः श्रावकाणां तु हिंसादिसर्वपरावृत्तिर्गुणिभक्तिरूपा हिता । तु-पुनः योगिनो ज्ञानं यज्ञम्-ज्ञानरमणमेव हितम्, न हि मुनिर्बाह्यप्रवृत्तिरतो ज्ञाने रममाणस्तत्त्वं साधयति ॥४॥
વિવેચન :- જે આત્માઓએ હજુ સાવઘયોગ સર્વથા ત્યજ્યો નથી. ઘર ચલાવવા વેપારધંધો કરવા સાવધયોગ જેઓને ચાલુ જ છે તેવા ઘરબારી સંસારી ગૃહસ્થ શ્રાવકશ્રાવિકાઓ આ દ્રવ્યપૂજાના અધિકારી છે. કારણ કે સાવદ્યયોગનો ત્યાગ કર્યો જ નથી, ઘર ચલાવવા માટે સાવદ્યયોગ સેવે જ છે તો પ્રશસ્ત શુભ કાર્ય કરવા માટે સાવઘયોગ (એકેન્દ્રિય જીવોની જ માત્ર હિંસા છે જેમાં એવો સાવદ્યયોગ, સેવે તો તેમાં આશ્રવની માત્ર પરાવૃત્તિ થાય છે. અશુભ આશ્રવને બદલે શુભનો આશ્રવ થાય છે. તેના માટે તે હિતકારી છે. તેમાં જે આશ્રવ છે તે હિતકારી નથી, પરંતુ અપ્રશસ્તને બદલે પ્રશસ્તની જે પરાવૃત્તિ છે તે હિતકારી છે આવો અર્થ કરવો.
ઉપરોક્ત યુક્તિને અનુસાર જે દ્રવ્યપૂજાના અધિકારી છે તેવા યોગ્ય જીવો કે જે ન્યાયપૂર્વક પ્રાપ્ત કરેલા ધનવાળા છે. આમ ન્યાયોપાર્જિતવિત્ત ઈત્યાદિ શ્રાવક-શ્રાવિકાના ૨૧ ગુણોથી જે યુક્ત છે. સંસારવાસમાં જે રહેલા છે. ઘર માટે આરંભ-સમારંભ કરે જ