________________
७४८
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
જણાવનારો યજ્ઞ છે. સ્વદ્રવ્ય શું? અને પરદ્રવ્ય શું? સાધક શું? અને બાધક શું? મુક્તિ રોકનાર કોણ? અને મુક્તિ અપાવનાર કોણ? ઈત્યાદિ સ્વ-પર સ્વરૂપના બોધરૂપ અને આત્મતત્ત્વની જાગૃતિમય એવા જ્ઞાનાત્મક ભાવયજ્ઞમાં તું લીન થા. તેમાં જ તત્પર થા. તેમાં જ તારું હિત છે. તેમાં જ તારું કલ્યાણ છે.
પરંતુ ભૂતિની જ કામનાવાળા સાવદ્ય યજ્ઞ વડે હે મુનિ ! તારે શું કામ છે? આ લોકનાં પૌદ્ગલિક સાંસારિક સુખોની ઈચ્છાવાળા અને સાવદ્ય એટલે પશુહિંસાદિ પાપોથી સહિત એવા મલીન યજ્ઞો વડે તને શું લાભ છે? કંઈ જ લાભ નથી. આવા સાવદ્ય યજ્ઞોથી કંઈ હિત (કલ્યાણ) થવાનું નથી. તે કારણે તે યજ્ઞો ન કરવા જોઈએ. તેવા પ્રકારના પાપવાળા યજ્ઞો કરવા ઉચિત નથી.
આત્મતત્ત્વના સ્વરૂપનો જ ઉપયોગ છે. સમ્યગ્દર્શનાદિ આત્મગુણોની સાથે જે તન્મયતા અને એકતા છે. આવી ગુણોની સાથેની એકાગ્રતાવાળી આત્મપરિણતિ જ કર્મોના અભાવને કરનારી છે માટે તેવા પ્રકારના ભાવયજ્ઞમાં જ પ્રવૃત્તિ કરવી ઉચિત છે. સાવદ્યયજ્ઞ હિંસાત્મક હોવાથી હિતકારી તો નથી પરંતુ અવશ્ય અહિતકારી છે. માટે ત્યાજ્ય છે. સરો
वेदोक्तत्वान्मनःशुद्धया, कर्मयज्ञोऽपि योगिनः । ब्रह्मयज्ञ इतीच्छन्तः, श्येनयागं त्यजन्ति किम् ? ॥३॥
ગાથાર્થ :- “કર્મયજ્ઞ કરવાનું વેદમાં કહેલું હોવાથી મનની શુદ્ધિ પૂર્વક જો કર્મયજ્ઞ કરાય તો તે યજ્ઞ યોગિમહાત્માને તો બ્રહ્મયજ્ઞ જ બને છે” આવી (ખોટી) દલીલ કરીને જે લોકો કર્મયજ્ઞ કરવાની ઈચ્છા રાખે છે તેઓ શ્યનયાગ કેમ કરતા નથી? તેનો ત્યાગ શું કામ કરે છે ? Hall
ટીકા :- “વેરોવતત્વતિ " વેરો વસ્તત્વીત્ મન:શુદ્ધચા કર્મયજ્ઞ: પ દ્રાયજ્ઞ इति इच्छन्तः योगिनः श्येनयागं किं त्यजन्ति ? इति स्वमतिकल्पनां कुर्वन्ति मूढाः। ते निषेधनीयाः । न हि संसारकामनया हिंसा सुखकरी भवति, साध्यशुद्धिमन्तरेण न प्रयासो हिताय । अतो नैव कर्त्तव्यमिति ॥३॥
વિવેચન :- બીજા શ્લોકમાં જે કહેવામાં આવ્યું કે કર્મ યજ્ઞ (પશુવધવાળો યજ્ઞ) સાવધ હોવાથી એટલે કે પશુનો વધ કરવા રૂપ હિંસા હોવાથી અને આ લોકમાં ભૌતિક સુખોની કામના હોવાથી ઉત્તમ આત્માને આ યજ્ઞ કરવો ઉચિત નથી. તેને બદલે પાપનો ધ્વંસ કરનાર અને નિષ્કામનાવાળો જ્ઞાનયજ્ઞ કરવો એ જ ઉચિત માર્ગ છે.