________________
६८० પરિગ્રહત્યાગાષ્ટક - ૨૫
જ્ઞાનસાર अयं दुःखमूलः परिग्रहग्रहः कः ? विडम्बितजगत्त्रयः-त्रैलोक्यविडम्बनाहेतुः, ईदृक् परिग्रहस्य को दृढानुराग इति ॥१॥
વિવેચન :- સંસારની અંદર રવિ, મંગળ, શનિ, બુધ વગેરે જે જે ગ્રહો છે તે તેની તેની મુદત પૂરી થાય ત્યારે કન્યા, તુલા, ધન વગેરે રાશિઓમાંથી નીકળીને બીજી રાશિમાં જાય છે અર્થાત્ રાશિ બદલે છે, પરંતુ પરિગ્રહ રૂપી આ ગ્રહ કોણ જાણે કેવો છે કે જે ક્યારેય પોતાની રાશિ (ખાસ કરીને ધનરાશિ)ને બદલતો નથી, પાંચ-પચીસ વર્ષથી નહીં, પરંતુ અનાદિકાળથી આ ગ્રહ ધનરાશિમાં જ વર્તે છે. આ જીવને ધનથી જ વધારે મમતા પ્રવર્તે છે માટે પરિગ્રહરૂપી ગ્રહ ધનરાશિમાં જ ચોટેલો રહે છે.
તથા દરેક ગ્રહો કોઈ કોઈ રાશિમાં અમુક અમુક વર્ષો સુધી વક્ર હોય છે જેને પનોતી બેઠી કહેવાય છે. શનિગ્રહની સાડા સાત વર્ષની પનોતી એટલે કે આ ગ્રહ અમુક અમુક રાશિમાં આટલો આટલો સમય વક્ર ચાલે, દુઃખદાયી થાય, જ્યારે આ પરિગ્રહરૂપી ગ્રહ સદાકાલ (અમર્યાદિત-અનંતકાલ) સુધી વક્રતાને જ ધારણ કરે છે. ક્યારેય વક્રતા ત્યજતો નથી. આવા પ્રકારનો સંસારના નવે ગ્રહો કરતાં અત્યન્ત ભિન્ન જાતિવાળો આ પરિગ્રહ રૂપી ગ્રહ છે. તે કારણથી હે આત્માર્થી આત્મા ! દુઃખમૂલક એવો આ પરિગ્રહરૂપી ગ્રહ એ શું વસ્તુ છે ? તે તું જાણ. ખરેખર આ પરિગ્રહરૂપી ગ્રહ દુઃખમૂલક છે, દુઃખ જ આપનારો છે. આ પરિગ્રહે જ (મમતા-મૂછએ જ) ત્રણે લોકના જીવોને દુઃખી દુઃખી કર્યા છે. આ પરિગ્રહ રૂપી ગ્રહ જ ત્રણે લોકના જીવોને વિડંબનાનું કારણ છે. તેથી આવા પ્રકારના દુઃખદાયી, આત્માના શત્રુતુલ્ય, નુકશાનકારી અને અહિત જ કરનારા પરિગ્રહને વિષે આટલો બધો દઢ અનુરાગ કેમ કરાય ? માટે હે આત્માર્થી જીવ! તું પરિગ્રહનો રાગ છોડી દે/૧
परिग्रहग्रहावेशात्, दुर्भाषितरजःकिराः । श्रूयन्ते विकृताः किं न ? प्रलापाः लिङ्गिनामपि ॥२॥
ગાથાર્થ :- સાધુતાના વેષને ધારણ કરનારા જીવોમાં પણ જ્યારે પરિગ્રહ રૂપી ભૂત-પ્રેતનો પ્રવેશ થાય છે ત્યારે તેના પ્રવેશથી દુષ્ટ ભાષણરૂપ (ઉસૂત્રપ્રરૂપણા અથવા સ્વાર્થમાત્રથી પૂર્ણ એવાં) વિકારપૂર્વક હલકાં વચનો (યાચકવૃત્તિવાળાં વચનો) શું સંભળાતાં નથી? અર્થાત્ સંભળાય છે. રાત
ટીકા :- “રિતિ” નિફિનાઈપ-નૈવેવિડમ્બાના પ્રત્નાપા:असम्बद्धवचनव्यूहाः किं न श्रूयन्ते, अपि तु श्रूयन्ते एव । कथम्भूताः प्रलापाः ?