________________
૬૫૬
શાસ્ત્રાષ્ટક- ૨૪
જ્ઞાનસાર
| ॥ अथ चतुर्विंशतितमं शास्त्राष्टकम् ॥
अथ क्रमायातं यथार्थोपयोगकारणभूतं शास्त्राष्टकं प्ररूप्यते, तत्र शास्त्रस्वरूपं ऐकान्तिकात्यन्तिक-निर्द्वन्द्व-निरामय-परमात्मपदसाधनस्याद्वादपद्धत्या यत्र शास्यते तत् (शास्त्रं ) शासनम् । न हि भारतरामायणादयः इहलोकशिक्षारूपाः शास्त्रत्वव्यपदेशं लभन्ते, तथा जैनागममपि सम्यग्दृष्टिपरिणतस्य शुद्धवक्तुरेव मोक्षकारणम्, मिथ्यात्वोपहतानां तु भवहेतुरेव । उक्तञ्च नन्दीसूत्रे, तच्चैवम् -
दुवालसंगं गणिपिडगं, सम्मत्तपरिग्गहिअं सम्मसुअं, मिच्छत्तपरिग्गहिअं मिच्छसुअं
(નીસૂત્ર ૭૨-૭૨) तथा च पूज्यैः - सदसदविसेसणाओ, भवहेऊ जदिच्छिओवलम्भाओ । नाणफलाभावाओ, मिच्छद्दिट्ठिस्स अण्णाणं ॥११५॥
(श्रीविशेषावश्यकभाष्य गाथा ११५) રૂત્યાર !
વિવેચન :- હવે અનુક્રમથી આવેલું એવું શાસ્ત્રાષ્ટક કહેવાય છે. “યથાર્થ ઉપયોગ” (સાચું જ્ઞાન-સાચી જ્ઞાનદશા) પ્રાપ્ત કરવામાં શાસ્ત્રાષ્ટકનો અભ્યાસ કારણભૂત છે. શાસ્ત્ર કોને કહેવાય ? શાસ્ત્ર એટલે શું ? કોનું રચેલું શાસ્ત્ર કહેવાય ? ઈત્યાદિ વિષયો આ અષ્ટકમાં સમજાવાશે. જે શાસ્ત્ર કાન્તિક સુખવાળું, આત્મત્તિક સુખવાળું, દુઃખરહિત કેવલ એક્લ જયાં સુખ જ હોય તેવું નિદ્ધઃ સુખવાળું અને દ્રવ્ય-ભાવ એમ બન્ને પ્રકારના રોગરહિત પરમ એવું આત્માનું જે સ્થાન (મુક્તિપદ) છે તે મુક્તિપદનું સાધન બને એવી સ્યાદ્વાદશૈલિપૂર્વક (અનેકાન્તવાદને અનુસારે) જ્યાં વાસ્તવિક તત્ત્વ સમજાવાય છે, - યથાર્થપણે વસ્તુ પ્રતિપાદન કરાય છે, તેને જ શાસ્ત્ર કહેવાય છે. અથવા તેને જ શાસન કહેવાય છે. આવા પ્રકારનું શાસ્ત્ર અથવા શાસન વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા શ્રી તીર્થંકર પ્રભુનું જ હોય છે, પરંતુ અન્યનું વચન આવા પ્રકારના ગુણોવાળું ન હોવાથી શાસ્ત્ર કે શાસન હોઈ શકતું નથી.
મહાભારત અને રામાયણ વગેરે પૂર્વઋષિકૃત ગ્રન્થો એ શાસ્ત્ર કે શાસન કહેવાતા