________________
જ્ઞાનમંજરી
ભવોગઅષ્ટક- ૨૨
૬૪૧
ઉપયોગની અતિશય દઢતા વધતાં સ્વીકાર કરાયેલા યોગ અને ઉપયોગમાં અત્યન્ત સ્થિર રહેનારા બને છે.
આ રીતે આત્મતત્ત્વનું પારમાર્થિક જે અનંત ગુણમય સ્વરૂપ છે તેની સાથે સ્યાદ્વાદશૈલીથી તાત્ત્વિક એકતા થવા સ્વરૂપ સમભાવદશામાં આ મહાત્મા સ્થિર થાય છે. આમ કરતાં તે મહાપુરુષ સર્વઠેકાણે સમભાવવાળા બને છે.
ભવથી ભય પામીને ઉગી બનેલા, આત્મગુણોની રમણતામાં લીન બનેલા, રત્નત્રયીના અભ્યાસથી સ્થિર યોગ-ઉપયોગવાળા, આત્માના સ્વરૂપાત્મક અનંત ગુણોની સાથે તાત્વિક એકતાને પામેલા આ મહાત્મા સર્વ ભાવો ઉપર રાગ-દ્વેષ વિનાના થઈને સમભાવવાળા બને છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સર્વોત્તમ એવા આ મુનિને મોક્ષ હોય કે ભવ હોય અને પ્રત્યે નિસ્પૃહતા હોય છે. મુક્તિનો રાગ કે ભવનો દ્વેષ હોતો નથી. કેટલી ઊંચી દશા? મુક્તિનો પણ રાગ નહીં. આ વાત કંઈ સામાન્ય નથી. આવી ઉત્કૃષ્ટ સમાવસ્થાવાળા આ મુનિઓ હોય છે.
આ પ્રમાણે સ્વરૂપમાં લીન થયેલા, સમાધિમાં જ મસ્ત બનેલા મહાત્માઓને જ સાચી નિર્ભયતા હોય છે. આવા પ્રકારનું આત્મતત્ત્વનું પારમાર્થિક સ્વરૂપ છે એમ જાણીને તેનો યથાર્થ નિર્ણય કરવા પૂર્વક આત્માર્થી જીવે સંસાર ઉપર નિર્વેદી બનવું જોઈએ. વિભાવદશાથી ઉત્પન્ન થયેલાં એટલે કે વિભાવદશાના કારણે બંધાયેલાં જે કર્મો, તેના ઉદયસ્વરૂપ આ સંસાર છે તથા પરદ્રવ્યના સંયોગથી પ્રાપ્ત થયેલો આ સંસાર છે તથા ચારગતિ રૂપ આ સંસાર આત્મતત્ત્વની સત્તાથી સર્વથા ભિન્ન છે. કારણ કે આત્માના જ્ઞાનાદિ જે ગુણો છે તે આત્મતત્ત્વની સત્તા છે અને સુખ-દુઃખના સાધનભૂત ચારગતિની પ્રાપ્તિ તે સંસાર છે માટે આવા સંસાર ઉપર તત્ત્વજ્ઞ આત્માએ નિર્વેદી બનવું જોઈએ.
| || આ પ્રમાણે બાવીસમા ભવોઢેગાષ્ટકનું વર્ણન સમાપ્ત થયું Il૮
=
બાવીસમું ભવોગઅષ્ટક સમાપ્ત
Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad380 001 Guj(ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com