________________
જ્ઞાનમંજરી
ભવોદ્વેગઅષ્ટક – ૨૨
૬૩૯
નથી. હોંશે હોંશે સમયસર ઓપરેશન માટે અને ડ્રેસીંગ કરાવવા માટે જીવ તૈયાર થઈ જાય છે. તે ઓપરેશન કે ડ્રેસીંગ કદાચ સહન ન થાય તો ચીસ પડી જાય છે, પણ ભય હોતો નથી. તેમ ઉપસર્ગકાલે જીવને કર્મક્ષય રૂપ સાધ્યની સિદ્ધિ દેખાય છે. માટે ભવભીત મહાત્માઓને ઉપસર્ગકાલે ભય નથી. IIના
स्थैर्यं भवभयादेव, व्यवहारे मुनिर्व्रजेत् । स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ॥८॥
ગાથાર્થ :- મુનિ મહારાજ ભવથી ભયભીત હોવાના કારણે જ ગોચરીચર્ચા-વિહારસ્વાધ્યાયાદિ આત્મતત્ત્વસાધક વ્યવહારોમાં સ્થિરતાને પામે છે. વળી આત્માના ગુણોરૂપી બગીચામાં ફરવાના આનંદમાં તે ભવ-ભય ક્યાંય ડૂબી જાય છે, ચાલ્યો જાય છે. IIII
ટીકા :- ધૈર્ય મવ કૃતિ'' મુનિ:-તત્ત્વજ્ઞાની મવમયાત્ નાનિોવવું:હોદેશાવ્ एव व्यवहारे - एषणादिक्रियाप्रवृत्तौ स्थैर्यं व्रजेत् गच्छेत्-लभेत । स्वात्मारामसमाधौ स्वकीयात्मारामः स्वचेतनः, तस्य समाधौ - ज्ञानानन्दादिषु तद् भवभयम्, अन्तर्मध्ये निमज्जति - लयीभवति । स्वत एव विनश्यति ।
आत्मध्यानलीलालीनानां सुखदुःखे समानावस्थानां भयाभाव एव भवति । इत्यनेन संसारोद्विग्नः प्रथमज्ञानदर्शनचारित्राचाराभ्यासतो दृढीकृतयोगोपयोगस्थः स्वरूपानन्तस्याद्वादतत्त्वैकत्वसमाधिस्थः सर्वत्र समावस्थो भवति । "मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति ।
एवं स्वरूपलीनसमाधिमग्नानां निर्भयत्वमिति वस्तुस्वरूपावधारणेन विभावोत्पन्नकर्मोदयलक्षणे संसारे परसंयोगसम्भवे आत्मसत्ताभिन्ने निर्वेदः कार्यः । ॥८ ॥ ॥ इति व्याख्यातं भवोद्वेगाष्टकम् ॥
વિવેચન :- જેમ ચોર, લુંટારા અને હલકા માણસોના ત્રાસથી એક ગામમાં રહેતા માણસને ઘણો જ ભય હોય ત્યારે તે ગામ છોડીને બીજા ગામમાં રહેવા જાય ત્યાં કેટલીક અનુકૂળતાઓ ન હોય તો પણ પ્રથમના ગામથી ભયભીત થયેલાને અન્ય ગામની મુશ્કેલીઓનો ભય સતાવતો નથી. તેમ તત્ત્વજ્ઞાની એવા મુનિમહાત્મા નરક-નિગોદમાં શારીરિક અને માનસિક અનેક દુઃખો હોવાથી તથા તિર્યંચના ભવમાં પરાધીનતા, અસ્પષ્ટવાચા, અસ્પષ્ટશ્રવણ ઈત્યાદિ દુઃખો હોવાથી અને મનુષ્યના ભવમાં પણ માનહાનિ, ધનહાનિ, પરસ્પર