SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી ભવોદ્વેગઅષ્ટક – ૨૨ ૬૩૯ નથી. હોંશે હોંશે સમયસર ઓપરેશન માટે અને ડ્રેસીંગ કરાવવા માટે જીવ તૈયાર થઈ જાય છે. તે ઓપરેશન કે ડ્રેસીંગ કદાચ સહન ન થાય તો ચીસ પડી જાય છે, પણ ભય હોતો નથી. તેમ ઉપસર્ગકાલે જીવને કર્મક્ષય રૂપ સાધ્યની સિદ્ધિ દેખાય છે. માટે ભવભીત મહાત્માઓને ઉપસર્ગકાલે ભય નથી. IIના स्थैर्यं भवभयादेव, व्यवहारे मुनिर्व्रजेत् । स्वात्मारामसमाधौ तु तदप्यन्तर्निमज्जति ॥८॥ ગાથાર્થ :- મુનિ મહારાજ ભવથી ભયભીત હોવાના કારણે જ ગોચરીચર્ચા-વિહારસ્વાધ્યાયાદિ આત્મતત્ત્વસાધક વ્યવહારોમાં સ્થિરતાને પામે છે. વળી આત્માના ગુણોરૂપી બગીચામાં ફરવાના આનંદમાં તે ભવ-ભય ક્યાંય ડૂબી જાય છે, ચાલ્યો જાય છે. IIII ટીકા :- ધૈર્ય મવ કૃતિ'' મુનિ:-તત્ત્વજ્ઞાની મવમયાત્ નાનિોવવું:હોદેશાવ્ एव व्यवहारे - एषणादिक्रियाप्रवृत्तौ स्थैर्यं व्रजेत् गच्छेत्-लभेत । स्वात्मारामसमाधौ स्वकीयात्मारामः स्वचेतनः, तस्य समाधौ - ज्ञानानन्दादिषु तद् भवभयम्, अन्तर्मध्ये निमज्जति - लयीभवति । स्वत एव विनश्यति । आत्मध्यानलीलालीनानां सुखदुःखे समानावस्थानां भयाभाव एव भवति । इत्यनेन संसारोद्विग्नः प्रथमज्ञानदर्शनचारित्राचाराभ्यासतो दृढीकृतयोगोपयोगस्थः स्वरूपानन्तस्याद्वादतत्त्वैकत्वसमाधिस्थः सर्वत्र समावस्थो भवति । "मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति । एवं स्वरूपलीनसमाधिमग्नानां निर्भयत्वमिति वस्तुस्वरूपावधारणेन विभावोत्पन्नकर्मोदयलक्षणे संसारे परसंयोगसम्भवे आत्मसत्ताभिन्ने निर्वेदः कार्यः । ॥८ ॥ ॥ इति व्याख्यातं भवोद्वेगाष्टकम् ॥ વિવેચન :- જેમ ચોર, લુંટારા અને હલકા માણસોના ત્રાસથી એક ગામમાં રહેતા માણસને ઘણો જ ભય હોય ત્યારે તે ગામ છોડીને બીજા ગામમાં રહેવા જાય ત્યાં કેટલીક અનુકૂળતાઓ ન હોય તો પણ પ્રથમના ગામથી ભયભીત થયેલાને અન્ય ગામની મુશ્કેલીઓનો ભય સતાવતો નથી. તેમ તત્ત્વજ્ઞાની એવા મુનિમહાત્મા નરક-નિગોદમાં શારીરિક અને માનસિક અનેક દુઃખો હોવાથી તથા તિર્યંચના ભવમાં પરાધીનતા, અસ્પષ્ટવાચા, અસ્પષ્ટશ્રવણ ઈત્યાદિ દુઃખો હોવાથી અને મનુષ્યના ભવમાં પણ માનહાનિ, ધનહાનિ, પરસ્પર
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy