________________
જ્ઞાનમંજરી
ભવોગઅષ્ટક- ૨૨
૬ ૨૩
મિથ્યાવાસનાનું જોર હોવાથી તે પણ ઈન્દ્રિયજન્ય સુખ મેળવવા માટે જ કરે છે. આત્મકલ્યાણની બુદ્ધિ થતી નથી. તથા ઉપવાસ છઠ્ઠ-અટ્ટમ આદિ તપ કરવા રૂપે કષ્ટકારી ધર્મનાં અનુષ્ઠાનો જન્મથી માંડીને ઘણાં ઘણાં કર્યા હોય છે અને કરે પણ છે. તો પણ મોહની તીવ્રતાના કારણે નિયાણું કરવાના દોષે અર્થાત્ ઈન્દ્રિયજન્યસુખની લાલસાના જોરે તે કરેલાં ધર્માનુષ્ઠાનો હારી જાય છે.
જૈનશાસનના નાયક, તીર્થની સ્થાપના કરનારા, વીતરાગ-સર્વજ્ઞ-ભગવંતો જવા દેવ અને તેમના માર્ગે ચાલનારા વૈરાગી, મહાવ્રતધારી-સુસાધુ આદિ આલંબનો કે જે આલંબનો મોક્ષના સુખના હેતુભૂત છે તેવા ઉત્તમ આલંબનોને પણ મિથ્યા વાસનાના બળે ઈન્દ્રિયજન્ય સુખના હેતુરૂપે ઉપાસે છે. લાકડાને કાપવાના આલંબન રૂપ કુહાડાને જેમ કોઈ પગ કાપવામાં ઉપયોગ કરે તેમ મોહાધીન એવો આ જીવ મોક્ષના હેતુભૂત વીતરાગ દેવને અને વૈરાગી ગુરુને સંસારસુખની પ્રાપ્તિના હેતુરૂપે જોડે છે. તથા પુણ્યોદયથી પ્રાપ્ત થયેલા સાંસારિક ભોગસુખોમાં આ જીવ મોહાન્ય બને છે.
ખરેખર જે ભવ દુઃખો જ આપનાર છે તેને આ જીવ મિથ્યાવાસનાના બળે સુખહેતુ માનીને ભટકે છે. વાસ્તવિકપણે આ ભવ અનેક દુઃખો અને ઉપાધિઓની ખાણમાત્ર જ છે. તેથી તેના તરફ ઉદ્વેગ જ કરવા જેવો છે. કારણ કે ઈન્દ્રિયજન્ય અલ્પ સુખ અને અતિશય દુઃખથી ભરેલા જે સંસારમાં આત્માના ગુણોના અનંત સુખની હાનિ જ થતી હોય ત્યાં સજ્જનોને અભિલાષા શું હોય? સજ્જનોને તેવા સંસારની ઈચ્છા શું થાય? અર્થાત્ ન જ થાય. એવો જ ઉપદેશ હવે ગ્રંથકારશ્રી આપણને આપે છે -
यस्य गम्भीरमध्यस्याज्ञानं वज्रमयं तलम् । रुद्धा व्यसनशैलौघैः, पन्थानो यत्र दुर्गमाः ॥१॥ पातालकलशा यत्र, भृताः तृष्णामहानिलैः । कषायाश्चित्तसङ्कल्पवेलावृद्धिं वितन्वते ॥२॥ स्मरौर्वाग्निर्व्वलत्यन्तर्यत्र स्नेहेन्धनः सदा । यो घोर-रोगशोकादि-मच्छकच्छपसङ्कुलः ॥३॥ दुर्बुद्धिमत्सरद्रोह-विद्युहुर्वातगर्जितैः । यत्र सांयात्रिका लोकाः, पतन्त्युत्पातसङ्कटे ॥४॥