________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૭૧ પ્રશ્નો પૂછવા યોગ્ય (જ્યાંથી અત્યન્ત સંતોષપૂર્વક ઉત્તર મળે છે) એવા બહુશ્રુત પુરુષોનું કલ્યાણ થજો. (જેઓ જગતનું કલ્યાણ કરનારા છે).
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૧૧ની ગાથા ૩૧ માં કહ્યું છે કે – “સમુદ્રની ગંભીરતા સમાન ગંભીર, દુર્જય, કોઈથી ન દબાય તેવા (કોઈના સ્નેહમાં ન અંજાઈ જાય તેવા) વિપુલ શ્રુતજ્ઞાનથી પૂર્ણ ભરેલા અને છ જીવ-નિકાયની રક્ષા કરનારા, એવા આ મહાત્મા મનિઓ કર્મો ખપાવીને ઉત્તમ ગતિને (મોક્ષ ગતિને) પામનારા બને છે.
આ રીતે વિચારતાં તત્ત્વદૃષ્ટિપણું પ્રાપ્ત કરવું એ જ કલ્યાણકારી છે, હિતકારી છે. અનેક અનેક શાસ્ત્રો ભણવાનો વ્યાયામ કરવો (પ્રયત્ન કરવો), તેનાથી બહુશ્રુતપણું આવી જતું નથી, પરંતુ નિશ્ચિતપણે જૈનશાસ્ત્રોને જાણનાર જે પુરુષ થાય છે તે જ બહુશ્રુત કહેવાય છે. સન્મતિતર્ક નામના ગ્રંથમાં પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરિજીએ કહ્યું છે કે –
તર્કવાદથી ગમ્ય વસ્તુઓને તર્કથી અને આગમગમ્ય ભાવોને આગમથી જાણનાર જે મહાત્મા છે તે સ્વશાસ્ત્રોના જ્ઞાની છે. બાકીના અન્ય તો સિદ્ધાન્તના વિરાધક જાણવા.
इति नयप्रमाणप्रमाणीकृतस्वपरसमयसाराः स्वरूपसाराभिरुद्धमोहप्रचाराः तत्त्वदृष्टयः । किम्भूता ? इत्याह-स्फुरन्ती कारुण्यं भवसमुद्रतारणोपकारित्वलक्षणं यत् पीयूषं तस्य वृष्टिः-वर्षा यत्र ते जगज्जनतारणकरुणामृतवृष्टिमयाः कथमेते लोकाः तत्त्वविमुखाः विषयरक्ताः आत्मानं ध्वंसयन्ति ?
अहह ! सति जैनागमे, सति च अनन्तगुणपर्यायसत्तात्मके आत्मनि स्वभ्रान्त्या रमन्ते भवाटव्याम्, अतः कथयामः धर्मरहस्यमित्युपकारपराः तत्त्वज्ञाः जगति महात्मानः स्तव्या (स्तोतव्याः) इति बाह्यदृष्टित्वं परित्यज्य आन्तरतत्त्वावभासनरसिका भवन्तु भव्याः ॥८॥
રૂતિ વ્યારા તત્ત્વચદમ્ | આ પ્રમાણે તત્ત્વભૂતદષ્ટિવાળા મહાત્મા પુરુષો કેવા હોય છે ? તે સમજાવે છે કે નયસંબંધી જ્ઞાન દ્વારા અને પ્રમાણના જ્ઞાન દ્વારા સ્વશાસા અને પરશાસ્ત્રોના સારાંશને જેઓએ પ્રમાણીભૂત કર્યો છે તેવા, એટલે કે સ્વશાસ્ત્રોનો સારાંશ શું છે? અને પરશાસ્ત્રોનો સારાંશ શું છે? આ વાત નય-પ્રમાણના જ્ઞાન દ્વારા જેણે યથાર્થ રીતે જાણી છે તેવા જ્ઞાનીપુરુષો જ તત્ત્વદૃષ્ટિ વાળા હોય છે. તથા આવી તત્ત્વદૃષ્ટિવાળા પુરુષો કેવા હોય છે ? તો બીજું વિશેષણ કહે છે કે -