________________
જ્ઞાનમંજરી તત્ત્વદૃષ્ટિઅષ્ટક - ૧૯
૫૫૫ છતા સંસાર ઉપરના નિર્વેદભાવપૂર્વક અને મોક્ષની અભિલાષા રૂપ સંવેગભાવપૂર્વક પ્રવર્તે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
एए विसया इट्ठा, तत्ताऽविन्नूण मिच्छदिट्ठीणं । विन्नाइयतत्ताणं, दूहमूला दूहफला चेव ॥१॥ जह चम्मकरो चम्मस्स, गंधं नो णायइ य फले लुद्धो । तह विसयासी जीवा, विसये दुक्खं न जाणंति ॥२॥ सम्मट्ठिी जीवो, तत्तरुई आयभावरमणपरो । विसये भुजंतो वि हु, नो रज्जइ नो वि मज्जेइ ॥३॥ अतो बाह्यावलम्बिचेतना वार्या, कार्या च स्वरूपावलम्बिनी । ॥२॥
તે કારણથી તત્ત્વના અજાણ એવા મિથ્યાષ્ટિ જીવોને પાંચે ઈન્દ્રિયોના આ વિષયો ઈષ્ટ (પ્યારા) લાગે છે. પરંતુ જાણ્યું છે તત્ત્વ જેણે એવા સમ્યગ્દષ્ટિ આત્માઓને આ જ વિષયો દુઃખમૂલક અને દુઃખફળ આપનારા લાગે છે. III
જેમ ચામડાની કમાણીરૂપ ફળમાં લુબ્ધ બનેલો ચમાર ચામડાની ગંધને જાણતો નથી તેવી જ રીતે પાંચ વિષયોની અભિલાષાવાળા જીવો પણ વિષયભોગમાં રહેલા દુઃખને જાણતા નથી. રા
તત્ત્વની રુચિવાળો અને આત્મસ્વભાવમાં જ રમણતા કરનારો સમ્યગ્દષ્ટિ જીવ વિષયો ભોગવતો હોવા છતાં પણ તે વિષયોમાં રમતો નથી અને મગ્ન પણ બનતો નથી. II
આ કારણથી બાહ્યભાવના આલંબનવાળી ચેતના અટકાવવા જેવી છે. અને તે ચેતનાને સ્વરૂપના અવલંબનવાળી કરવા જેવી છે. રા.
ग्रामारामादि मोहाय, यद् दृष्टं बाह्यया दशा । तत्त्वदृष्ट्या तदेवान्तर्नीतं वैराग्यसम्पदे ॥३॥
ગાથાર્થ - ગ્રામ, આરામ વગેરે જે જે ભાવો બાહ્યદૃષ્ટિથી જોવામાં આવે તો મોહને માટે થાય છે તે જ ભાવો જ્યારે તત્ત્વ-દષ્ટિથી જોવામાં આવે તો અર્થાત્ આત્માની અંદરના કલ્યાણમાં જોડવામાં આવે તો વૈરાગ્યની સંપત્તિ માટે થાય છે. આવા