________________
ટીકાકારશ્રી અનેક સ્થાનો પર “થોડા હટ કર' અર્થઘટન કરે છે. પ્રસ્તુતમાં તેમણે – પૂર્ણને સમગ્ર વિશ્વ અપૂર્ણ દેખાય છે – એવો પાઠ લઈને અર્થઘટન કર્યું છે. આ અર્થ પણ મનનીય છે. “અપૂર્ણ પૂર્ણ બને છે અને પૂર્ણ અપૂર્ણ બને છે' આવી મૂળકારશ્રીની અદ્ભુત પંક્તિઓ પર પુત્નિ: પૂર્વમા યાત્માનો યત પર્વ - જેવા ચોટદાર સ્પષ્ટીકરણો કરીને ટીકાકારશ્રીએ મૂળગ્રંથને ચાર ચાંદ લગાવી દીધા છે.
(૨) મગ્નાષ્ટક - એકાગ્રતા અલગ વસ્તુ છે અને મગ્નતા અલગ વસ્તુ છે. બિલાડી કબૂતર પર તરાપ મારતા પૂર્વે એકાગ્ર બને છે. પણ એ મગ્નતા નથી. મૂળકારશ્રીએ મગ્નની • વ્યાખ્યા કરી છે, તે ત્રણ તબક્કામાં સમાઈ જાય છે. (૧) પ્રત્યાહાર (૨) મનઃસમાધિ (૩) જ્ઞાનમાત્રવિશ્રામ.
સંયમપર્યાયના ક્રમથી તેજોવેશ્યાવૃદ્ધિ, સંયમશ્રેણિનું સ્વરૂપ આદિ આગમિક પદાર્થોનું ટીકાકારશ્રીએ આ અષ્ટકની ટીકામાં સુંદર નિરૂપણ કર્યું છે.
(૩) સ્થિરતાષ્ટક :- અનંત ક્રિયાઓ નિષ્ફળ ગઈ, તેનું કારણ એ નથી કે ભવરોગને મટાડવાનું સામર્થ્ય ક્રિયામાં નથી. એનું કારણ તો એ છે કે હજી જીવમાંથી અસ્થિરતા નામનું શલ્ય ગયું નથી. જ્યાં સુધી શલ્ય ન જાય ત્યાં સુધી ઔષધ ગુણ ન કરી શકે. ગ્રંથકારશ્રીએ આ રૂપક દ્વારા પોતાના ચિકિત્સાશાસ્ત્રીય જ્ઞાનનો પરિચય તો આપ્યો જ છે. સાથે સાથે - નો નો નિસાસામિ યુવમgયા પjનંતે ! પર્વ મviતા વર્દ્રતા વહેવત્ની નાય . (ઓઘનિર્યુક્તિ ૨૭૮) જેવા આગમવચનનું મંડન પણ કર્યું છે
સમસ્ત આત્મપરિણતિ નિઃસંગ રૂપ પરમ સ્થિરતા વાળી હોય છે - ટીકાકારશ્રીનું આ વચન અધ્યાત્મનગરના અનેક દ્વારોનું ઉદ્ઘાટન કરે છે.
(૪) મોહત્યાગાષ્ટક :- “હું ને મારું આ મોહનો મંત્ર, “ન હું, ન મારું આ મોહજયી મંત્ર... પ્રથમ શ્લોકના આ શબ્દો શાસ્ત્રસાગરના અર્ક જેવા છે. આ એક જ અષ્ટકનું પણ પુનઃ પુનઃ પરિશીલન કરવામાં આવે, તેની પરિણતિ પ્રાપ્ત કરવામાં આવે તો નિકટના કાળમાં વીતરાગદશાની પ્રાપ્તિ થઈ શકે.
____ उपाधिदोषस्तु सन्नपि तादात्म्याभावात् संसर्गजत्वाद् भिन्न एव निर्धार्यः - ટીકાકારશ્રીનું આ વચન શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજાના - યો નિનો સોટ્ટમેવ ચ - આ શક્રસ્તવના વચનનું પ્રબળ સમર્થન કરે છે.
(૫) જ્ઞાનાષ્ટક - મોક્ષ માટે પુષ્કળ જ્ઞાનની જરૂર નથી, પણ પરિણત જ્ઞાનની જરૂર છે. આ વાત આ અષ્ટકમાં ખૂબ સુંદર રીતે જણાવી છે. આજે જ્ઞાનના ક્ષેત્રે પ્રગતિનાં