________________
જ્ઞાનમંજરી વિવેકાષ્ટક - ૧૫
४४७ तथा च यः कर्तात्मापरः सः कारकचक्रोपेतः एव । आत्मा कर्ता स्वगुणपरिणमनात्मकज्ञप्तिक्रियाकारकत्वात् । ज्ञानाद्यनन्तगुणप्रवृत्तिः कार्यम् । गुणाः करणभूताः । गुणपर्यायाणामुत्पादपर्यायाणां पात्रत्वात्सम्प्रदानम् । व्ययीभूतपर्यायाणां विश्लेषास्पदत्वाद् अपादानम् । तथानन्तगुणपर्यायाणामाधारत्वाद् आधारः । आत्मनि आत्मा आत्मानम् आत्मना आत्मने आत्मनः परिणमनवृत्त्या करोति । उक्तञ्च श्रीजिनभद्रपूज्यैः -
અહીં છ કારકની વ્યાખ્યા શ્રી વિશેષાવશ્યકભાષ્યને અનુસાર કરાય છે. “આત્મા એ કર્તા છે” અને જે કર્તાપણાના સ્વરૂપમાં તત્પર છે એટલે કે કર્તાપણાના સ્વરૂપથી યુક્ત છે તે છએ કારકના સમૂહથી સહિત છે. તે આ પ્રમાણે છે. (૧) પોતાના જ્ઞાનગુણમાં પ્રતિસમયે પરિણમન પામવા રૂપ જ્ઞપ્તિક્રિયાને કરનાર છે માટે આ આત્મા કર્તા છે. (૨) જ્ઞાનાદિ અનંતગુણોમાં નિરંતર પ્રવૃત્તિ કરવી એ જ આ આત્માનું કાર્ય (કર્મ) છે. આ કર્મકારક થયું. (૩) આત્મામાં રહેલા ગુણો એ જ અધિક ગુણોનો આવિર્ભાવ કરવામાં કરણભૂત છે. આ કરણકારક થયું. (૪) નવા નવા ઉત્પન્ન થતા ગુણો અને પર્યાયોનું આત્મા એ જ પાત્ર હોવાથી અર્થાત્ નવા નવા પ્રગટ થતા ગુણ-પર્યાયો આત્માને જ અપાય છે તેથી આત્મા સંપ્રદાનકારક થયો. (૫) પ્રતિસમયે નાશ પામતા પર્યાયોનો આત્મામાંથી વિયોગ થતો હોવાથી આત્મા એ જ અપાદાનકારક થયો. (૬) તથા અનન્ત ગુણ-પર્યાયોનો આ જ આત્મા આધાર હોવાથી આત્મા એ જ અધિકરણકારક થયો. આ પ્રમાણે “આ આત્મામાં પરિણમન સ્વભાવ હોવાથી આત્મા પોતે જ આત્મતત્ત્વને આત્માના ગુણો દ્વારા આત્મામાંથી પ્રગટ કરીને આત્માને આપવાનું કામ કરે છે” આમ આ છએ કારકચક્ર જાણવું. શ્રી જિનભદ્રગણિજી પૂજ્યવરે વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે –
कारणमहवा छद्धा, तत्थ सतंतोत्ति कारणं कत्ता । कज्जप्पसाहगतमं, करणं मि उ पिंडदंडाइं ॥२११२॥
व्याख्या-अथवा कारणं षोढा । तत्र (सतंतो) स्वतन्त्रः कर्ता, यः स्वतन्त्रं स्वाधीनं कारणं स कर्ता यथा घटस्य कर्ता कुम्भकारः, तथा आत्मनि व्याप्यावस्थितानामभेदरूपाणां गुणानां स्वस्वपरिणमनकार्यव्यापारप्रवृत्तिरूपां क्रियां करोति तेनात्मा कर्ता । कार्यप्रसाधकतमं कारणं करणमपादाननिमित्तभेदात विभेदम । तत्र घटे मृत्पिण्डमुपादानम्, दण्डादि निमित्तम्, तथा चात्मा कर्ता ज्ञानादि कार्यम्, तत्र स्वसत्तापरिणतिः उपादानम्, स्वरूपसिद्धौ शुद्धपारिणामिककार्ये निमित्ताभावः इति ।