SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકાષ્ટક - ૧૫ ૪૩૫ બહિરાત્મામાં, અંતરાત્મામાં અને પરમાત્મામાં એમ સર્વે પણ આત્મામાં “પરમાત્મપણાની સત્તા” એકસરખી સમાન છે. કોઈનામાં પણ હીનાધિક નથી. ફક્ત પ્રથમના બે પ્રકારના આત્મામાં રહેલી પરમાત્મતા તિરોભૂત છે, આવિર્ભૂત નથી અને ત્રીજા પ્રકારના આત્મામાં રહેલી પરમાત્મતા આવિર્ભૂત છે. માત્ર આટલો જ તફાવત છે. હકીકતથી તો સર્વે પણ આત્મામાં પરમાત્મતા સત્તાગત છે અને તે પણ સમાન છે. માત્ર પુદ્ગલાદિ અન્ય દ્રવ્યોથી આ આત્માને ભિન્ન સમજવાથી અને તેના કારણે મમતા-મૂર્છા-આસક્તિભાવ ત્યજવાથી આમ ભેદજ્ઞાન દ્વારા તે પરમાત્મતા પ્રાપ્ત કરવા લાયક છે. જો જીવ ભેદજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરે તો પરમાત્મદશા મેળવી શકે તેમ છે. જ્ઞાનમંજરી વેદાત્મા = અહીં દેહ એટલે શરીર, આત્મા એટલે જીવ, આદિ શબ્દથી મન, વચન, કાયા, ધન, ઘર, અલંકારાદિ સર્વ પુદ્ગલદ્રવ્યો લેવાં. તે પૌદ્ગલિક પદાર્થોમાં “આ જ આત્મા છે”, “શરીરાદિ એ જ હું છું” આવો અવિવેક - અભેદપણાની બુદ્ધિ - એકમેકતાની બુદ્ધિ આ ભવમાં (સંસારમાં) સર્વકાલે મોહના ઉદયને લીધે અતિશય સુલભ છે. જ્યાં ત્યાં જ્યારે ત્યારે દેખો તો આ જીવને શરીરાદિ પુદ્ગલદ્રવ્યોમાં મારાપણાની બુદ્ધિ જ જોર કરતી હોય છે. એટલી બધી અભેદબુદ્ધિ થઈ ગઈ હોય છે કે શરીરાદિમાં જો કંઈ પણ અલ્પમાત્રાએ પણ મુશ્કેલી આવે તો ઊંઘ અને આહારગ્રહણ ઉડી જાય, શોકાતુર થઈ જાય, ગ્લાનિ વ્યાપી જાય. આર્ત-રૌદ્રધ્યાનમાં ગરકાવ થઈ જાય. અભેદબુદ્ધિના કારણે શરીરાદિની પ્રતિકૂલતાએ આ જીવ દુ:ખી દુ:ખી થઈ જાય. પરંતુ તે શરીરાદિ પુદ્ગલદ્રવ્ય અને આત્મદ્રવ્યની વચ્ચેના ભેદજ્ઞાનવાળો એવો વિવેક અર્થાત્ ભેદબુદ્ધિ કોટિ ભવોએ પણ અતિશય દુર્લભ છે. દુઃખે પ્રાપ્ત કરાય તેમ છે, શરીરાદિથી આત્માને ભિન્ન સમજી મોહત્યાગ થવો અતિશય દુષ્કર છે. = અનાદિકાલથી આત્મા અને શરીરાદિ એકમેક સ્વરૂપે-અભેદ બુદ્ધિરૂપે ગ્રહણ કરાયેલાં છે. આ રીતે અનાદિકાલથી એકમેકરૂપે ગ્રહણ કરાયેલા પરભાવવાળા આત્મા વડે પોતપોતાનાં લક્ષણોનો ભેદ છે એમ સમજીને ભેદજ્ઞાન થવારૂપ વિવેક થવો અતિશય દુષ્કર છે. અહીં ખંધકમુનિ, નમિરાજર્ષિ, કીર્તિધરરાજા અને સુકોશલ મુનિનાં દૃષ્ટાન્ત વિચારવાં. ખંધકમુનિની રાજપુરુષોએ જીવંત શરીરની ચામડી ઉતારી તો પણ મુનિશ્રી જરા પણ અરરિત કે ઉદ્વેગ ન પામ્યા, નમિરાજર્ષિ “જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી” આવી સમજથી ઈન્દ્રે કરેલી પરીક્ષામાં પરાભવ ન પામ્યા. કીર્તિધરરાજા અને સુકોશલમુનિમાં બાલમુનિનું અને પોતાનું શરીર વિફરેલી વાઘણે ચિરી નાખ્યું તો પણ ભેદબુદ્ધિ હોવાથી અલ્પ પણ અતિ, ઉદ્વેગ કે આર્ટ-રૌદ્ર ધ્યાન ન થયું. આ છે ભેદજ્ઞાનનો પ્રભાવ.
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy