________________
જ્ઞાનમંજરી વિદ્યાષ્ટક - ૧૪
૪૧૯ અથવા દેહ, ગેહ અને ધનાદિને વિષે મારાપણાના પરિણામ રૂપ રાગાદિ ભાવવાળો આ પાશ (જાળ) કોઈ નવો (અપૂર્વ) છે કે જે પાશ આત્મા વડે દેહાદિને વિષે નખાયો હોય તો પણ તેના બંધન માટે ન થતાં પોતાના બંધનને માટે જ થાય છે. દા.
ટીકા :- “માત્મવોઇ તિ" માં ભવ્ય ! વ:-ચુમ્બવિ માત્મવોઃ-આત્મજ્ઞાન न पाश:-न बन्धहेतुः । तेषु देहगृह(गेह)धनादिषु यः आत्मना क्षिप्तः स पाश:रागपरिणामः स्वस्य आत्मनः एव बन्धाय जायते इत्यनेन देहगृहादिषु यः रक्तः सः सर्वः भवपाशैः बध्यते । स्वस्य बन्धहेतुः इत्यनेन परभावाः रागादयः आत्मनः વસ્થવૃદ્ધિહેતવ: Hદ્દા.
વિવેચન - હે ભવ્યજીવો! તમને થયેલું આત્મજ્ઞાન એ પાશરૂપ બનતું નથી, જે જે આત્માને આત્મતત્ત્વનું ભાન થયું છે તે ભાન કર્મબંધનો હેતુ બનતું નથી. પરંતુ દેહ (શરીર) ગેહ (ઘર) અને ધનાદિ ભૌતિક સામગ્રી ઉપર આ આત્મા વડે કરાયેલો રાગાત્મક પરિણામ રૂપ જે પાશ છે તે નખાય છે એટલે કરાય છે દેહાદિ ઉપર, પણ પોતાના આત્માના બંધનું જ કારણ બને છે. સંસારમાં જે જાળ જેના ઉપર નખાય તેના બંધનો હેતુ બને, મચ્છીમાર મત્સ્ય ઉપર જાળ નાખે તો મત્સ્ય તેમાં બંધાય. અહીં તેથી ઉલટું છે. જાળ નખાય છે દેહાદિ ઉપર, પણ દેહાદિ બંધાતાં નથી પણ મોહના કારણે જાળ નાખનાર આત્મા જ કર્મોથી બંધાય છે. તેથી દેહ, ગેહ અને ધનાદિમાં જે અતિશય રાગી થઈને વર્તે છે. તે સર્વે પોતે જ ભવરૂપી પાશથી બંધાય છે. માટે આ રાગાદિના પરિણામો પોતાના જ બંધના હેતુ બને છે. તેથી શાસ્ત્રકાર-ભગવંતો જણાવે છે કે રાગ-દ્વેષ-મોહ ઈત્યાદિ વિભાવદશાના પરિણામો આત્માના જ બંધની વૃદ્ધિના હેતુઓ છે તે માટે સવિશેષપણે ત્યજવા લાયક છે.
હું અને મારું” આવા પરિણામો આ જીવ દેહાદિ ઉપર કરે છે. પરંતુ તેનાથી દેહાદિ બંધાતાં નથી પણ આ જીવ પોતે જ કર્મના બંધથી બંધાય છે. માટે આવા રાગાદિના પરિણામો કરવા જેવા નથી પણ છોડવા જેવા છે.
આ શ્લોકમાં મૂલમાં માત્મવોથો ન વ: પાશે આવો જે પાઠ છે તેનો ટીકાકારશ્રીએ : છૂટું પાડીને વ:-યુષ્મામ્ એવો અર્થ કર્યો છે. પરંતુ કોઈ કોઈ પ્રતોમાં નવ: શબ્દ સાથે છે તેથી એવો અર્થ પણ નીકળે છે કે દેહાદિને વિષે મારાપણાનો જે પરિણામ છે તે કોઈ અપૂર્વપાશ છે કે જે નખાય છે દેહાદિને વિષે અને બંધાય છે જીવ પોતે, આમ નવ: = અપૂર્વપાશ એવો અર્થ પણ જોવા મળે છે. જ્યારે ટીકાકારશ્રીએ કરેલા અર્થ પ્રમાણે ન a:-યુવમ્ આમ બન્ને પદો છુટાં લહીએ ત્યારે માત્મવોથો શબ્દનો અર્થ આત્મતત્ત્વનું