________________
૩૭૬
મૌનાષ્ટક - ૧૩
જ્ઞાનસાર પરંતુ ત્રણે જગતના યથાર્થ સ્વરૂપનું મનન કરનારા અને સંસારીભાવોથી અલિપ્ત રહેનારા નિઃસ્પૃહ એવા મુનિ પુરુષો જ સાવદ્ય પાપકર્મવર્જન રૂપ મૌનપણાને સમય-સમાવાય = ધારણ કરે છે તે મૌનને ધારણ કરીને સાત ધાતુના બનેલા ઔદારિક શરીરને અને આઠ કર્મોના બનેલા કાર્મણશરીરને શુ = દુનીયાત્ = ધુણાવે-કંપાવે-જર્જરિત કરે અર્થાત્ ખપાવે. આ અષ્ટવિધ કર્મ ખપાવવા રૂપ કાર્મણશરીરનો નાશ કરવા માટે જ સમ્યજ્ઞાનવાળા અને સમ્યક્દર્શનવાળા વીરપુરુષો પ્રાન્તભિક્ષા (વાલ-ચણાદિ રૂપ તુચ્છ દ્રવ્ય) લેવારૂપે તથા વિગઈઓ વિનાની રુક્ષ ભિક્ષા ગ્રહણ કરવા રૂપે આહાર ગ્રહણ કરે છે.
પાંચ અસ્તિકાય દ્રવ્યો છે. તેમાં એક જીવદ્રવ્ય જ ચેતનાલક્ષણવાળું છે. તે આત્મદ્રવ્ય જ જ્ઞાનગુણવાળું હોવાથી કર્મોથી બંધાયેલું છે અને વિભાવદશામાં ફસાયેલું છે. છતાં પણ સન્શાસ્ત્રોથી, સત્સંગથી તથા સદ્ગુરુથી જ્યારે આવું ભાન થાય છે કે હું સત્તાથી સિદ્ધપરમાત્માની જેવો અનંત ગુણોવાળો છું, હું જ ભગવાન પરમાત્મા છું, હું જ નિર્મળ આનંદવાળું દ્રવ્ય છું. આવા પ્રકારના પોતાના મૂળભૂત શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરીને તે શુદ્ધ સ્વરૂપ ઉપરના તમામ આવરણોને દૂર કરવા માટે મોહના હેતુભૂત હિંસા-મૃષાવાદ-સ્તેય -મૈથુન-પરિગ્રહાદિ દ્રવ્ય આશ્રવો આ જ મોટા ચોર છે. આત્માનું બગાડનારા છે. માટે દૂર કરવા જેવા છે.” એમ હેય તરીકે તેઓને યથાર્થ રીતે જાણીને હેય તરીકે જ આચરે છે. અર્થાત્ દ્રવ્ય આશ્રવોનો પણ ત્યાગ કરે છે. ત્યારે જ સમ્યકત્વ અર્થાત્ મુનિપણું પ્રાપ્ત થાય છે. આ રીતે સમ્યત્વ એ જ મુનિનું સ્વરૂપ છે અને મુનિનું સ્વરૂપ એ જ સમ્યકત્વ છે. I૧૫
आत्मात्मन्येव यच्छुद्धम्, जानात्यात्मानमात्मना । सेयं रत्नत्रये ज्ञप्तिरुच्याचारैकता मुनेः ॥२॥
ગાથાર્થ - કર્તા એવો આ આત્મા કરણભૂત એવા પોતાના આત્મા (ના જ્ઞાનગુણ અને વીર્યગુણ) વડે, અસ્તિત્વ-વસ્તુત્વ વગેરે અનંત ધર્મોથી યુક્ત એવા પોતાના શુદ્ધ આત્માને, આધારભૂત એવા પોતાના આત્મામાં જ સત્સંગ, સ્વાધ્યાય અને ગુરુગમથી જ્યારે જાણે છે ત્યારે તે મુનિની રત્નત્રયીને વિષે તે પ્રવૃત્તિ જ્ઞાન-રુચિ-આચરણાની એકતારૂપ થાય છે. રા/
ટીકા :- “માત્મા રૂત્તિ', કાત્ર જ્ઞાનાવિગુOIના મેરUSમૂતાનાં સાત્વિकार्यकर्ता आत्मा एव, अत्रोपादानस्वरूपे षट्कारकचक्रमय एव आत्मा स्वयमेव कर्तृकार्यरूपोऽपि कारणरूपसम्प्रदानापादानाधिकरणः स्वयमेवेति व्याख्यातं भाष्ये