________________
૩૬૪
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
જ્ઞાનસાર
अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिआ । मोक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥१२॥
(દશવૈકાલિક અધ્યયન-૫, ૬-૧, ગાથા-૯૨) तथा च, वासो-वस्त्रं जीर्णम्, गृहं-स्थानं वनम्, तथापि अहो इति अद्भुतं निःस्पृहस्य-बाह्यसम्पद्विकलस्यापि स्वं सुखं चक्रिणः सकाशात्-चक्रवर्तितः सुखमधिकमत्यन्तमिति चक्रवर्त्यादिगत्वरैः औपाधिकैः सुखैः सकाशाद् मुनिः स्वरूपजैः सहजानश्वरैः परमानन्दसुखैः पूर्णः । अतः जातिभेद एवायं इन्द्रियात्मसुखयोः ।
| વિવેચન :- મુનિમહારાજાઓને (૧) ઉંઘવાનું સ્થાન, (૨) ભોજન, (૩) શરીર ઉપરનું વસ્ત્ર અને (૪) રહેઠાણ, આ ચારે પદાર્થો સંસારી જીવો જેવા વ્યવસ્થિત સગવડતાવાળા શોભાસ્પદ અને પ્રશંસનીય હોતા નથી. તો પણ માથા ઉપર કોઈપણ જાતની ઉપાધિ ન હોવાથી ચક્રવર્તી કરતાં પણ મનથી ઘણું સુખ હોય છે તે વાત આ શ્લોકમાં સમજાવે છે.
ભૂ એટલે પૃથ્વી એ જ ઉંઘવાનું સ્થાન-શય્યા હોય. કારણ કે મુનિઓ ભૂમિ ઉપર જ સંથારો કરે છે, ગાદી-ગાદલાં કે લાકડાના પલંગ કે લોખંડના પલંગ રાખતા નથી. ઘર ઘરથી ભ્રમરવૃત્તિએ ભિક્ષા માગીને લાવેલું ભોજન (ગોચરી) હોય છે. ગૃહસ્થની જેમ અથવા ચક્રવર્તીની જેમ વિશિષ્ટપણે બનાવેલું સ્વાદિષ્ટ ખડૂસ ભોજન હોતું નથી. દશવૈકાલિકસૂત્રના પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે - જિનેશ્વર ભગવંતો વડે સાધુની આજીવિકા (ગોચરી) અહો-આશ્ચર્યની વાત છે કે કેવી અસાવદ્ય (દોષ વિનાની) કહી છે? કે જે અસાવદ્ય પણ છે. અને તેનાથી મોક્ષની સાધનાના હેતુભૂત એવા સાધુના દેહની ધારણા પણ થઈ શકે તેવી ગોચરી જણાવી છે.
તથા વસ્ત્ર પણ જીર્ણ-વાપરેલાં, પણ ભપકાવાળાં નહીં, કંઈક મલીન પણ ચમકવાળાં કે શોભાવાળાં નહીં. તથા રહેવાનું સ્થાન અરણ્ય. અર્થાત બાંધેલું ઘર નહીં, ઝપવું નહીં. હવેલી નહીં અને બંગલો પણ નહીં. અરણ્યમાં જ હરતો ફરતો વસવાટ. આ બધું જોતાં શધ્યાનું, ભોજનનું, વસ્ત્રોનું અને વસવાટનું સંસારી જીવોની દૃષ્ટિએ સાનુકૂળ અને સગવડતાભર્યું જીવન નથી. તથાપિ મ = તો પણ આશ્ચર્યની વાત છે કે બહારની સંપત્તિ વિનાના હોવા છતાં પણ (મુલાયમ શય્યા-ષડ્રેસ ભોજન, ભપકાદાર વસ્ત્રો અને હવેલી જેવું મકાન નથી તો પણ તેવા) નિઃસ્પૃહ મુનિને ચક્રવર્તીના સુખ કરતાં પણ વં સુવું = પોતાનું સુખ અત્યન્ત અધિક છે. એમ લાગે છે. કારણ કે ચક્રવર્તીપણાનું જે સુખ છે તે અને આદિ