________________
નિઃસ્પૃહાષ્ટક - ૧૨
પરકી આશા સદા નિરાશા, એહે જગજન પાશા,
તે કાટનકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા. (આપસ્વભાવમાં.)
જ્ઞાનમંજરી
આ કારણથી દૂર કરી છે પારકાની આશા રૂપી પાશ (જાળ) જેણે એવા નિગ્રન્થમુનિઓ ચિત્તમાંથી સ્પૃહાને ત્યજીને સ્વરૂપના જ ચિન્તનમાં અને સ્વરૂપની જ રમણતાના અનુભવમાં લયલીન બન્યા છતા સ્વભાવદશાથી જ અતિશય પુષ્ટ બનેલા આત્મતત્ત્વના આનંદમય સ્વરૂપ-રમણતામાં જ રમે છે. સ્વભાવદશામાં જ લયલીન બનીને રહે છે અને વિષયોરૂપી જીર્ણ અને ઊંડા ભવ રૂપ કુવામાં પડવાના કાર્યથી અટકે છે. ભવરૂપી જીર્ણ કુવામાં પડતા નથી. સ્વભાવદશાની પ્રીતિ અને રમણતા જ વિભાવદશાનો અને પરસ્પૃહાનો નાશ કરે છે. ॥૪॥
स्पृहावन्तो विलोक्यन्ते, लघवस्तृणतूलवत् ।
महाश्चर्यं तथाप्येते, मज्जंति भववारिधौ ॥५॥
૩૬૧
ગાથાર્થ :- સ્પૃહાવાળા (બીજા પાસેથી વસ્તુ મેળવવાની ઈચ્છાવાળા) લાલચુ જીવો તૃણની જેમ (તણખલાની જેમ) અને તૂલની જેમ (આકડાના રૂની જેમ) અતિશય હલકા (જ્યાં ત્યાં હાથ જોડીને પગે પડીને કરગરનારા) દેખાય છે. આટલા હલકા (ફોરા) હોવા છતાં પણ મહાન આશ્ચર્યની વાત એ છે કે આ જીવો ભવરૂપી સમુદ્રમાં ડુબે છે. પા
ટીકા :- ‘“વૃદ્ઘાવન્ત કૃતિ', શ્રૃહાવન્ત:-પરે∞ાનિયતા: તૃતૂ વર્જાધવ:-તુચ્છા: निर्मूल्या: विलोक्यन्ते । उक्तञ्च
=
तूलं तृणादपि लघु, तूलादपि हि याचकः ।
वायुना किं न नीतोऽसौ, मामपि प्रार्थयिष्यति ॥ १ ॥
तदाश्चर्यं लघवोऽपि एते स्पृहादिना अपि भववारिधौ भवसमुद्रे मज्जन्ति । अन्यत्र लघुत्वं तरणहेतुः, एतद् लघुत्वं भवमज्जनहेतुरेव । यद्यपि प्रार्थनादिदानव्यवहाराः तथापि त्रिभुवनधनस्वजनपिपासागरिष्ठाः ब्रूडन्तीत्यर्थः ॥५॥
વિવેચન :- જે જે આત્માઓ સ્પૃહાવાળા હોય છે, એટલે કે પૌદ્ગલિક પદાર્થોની અને તેના દ્વારા પ્રાપ્ત થતાં ભૌતિક સુખોની ઈચ્છામાં જ ઓતપ્રોત હોય છે, તે તે આત્માઓ તે તે પૌલિક પદાર્થો અને પૌદ્ગલિક સુખો જેની પાસેથી પ્રાપ્ત થવાની સંભાવના પણ દેખાય તેના પ્રત્યે લાચારી-દીનતા દેખાડવા દ્વારા ઘાસના તણખલાની જેમ અથવા આકડાના