SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ નિર્લેપાષ્ટક - ૧૧ જ્ઞાનસાર બધા વાદીઓની માન્યતા ઘણી ખોટી છે. આમ તેઓનું ખંડન આ ચર્ચાથી કર્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે – भणंता अकरता य, बन्धमुक्खपइन्निणो । वायाविरियमित्तेण, समासासंति अप्पयं ॥ न चित्ता तायए भासा, कओ विज्जाणुसासणं । વિસUST પાવાગ્યેëિ, વાર્તા પંડિમાળિો . (અધ્યયન-૬, ગાથા-૧૦-૧૧) अत एव तत्त्वश्रद्धानसम्यग्ज्ञानोपयुक्ता यदात्मनः क्षायोपशमिकचेतना वीर्यादिशक्तीन् परभावविभावाद् आकृष्य आत्मगुणे प्रवर्तयति, तावती अबन्धकता । शेषा यावती परानुगा विषयकषायचापल्यशक्तिः तावती बन्धकता । एवं सर्वात्मशक्तिः स्वरूपविश्रामरमणरूपा तदा सर्वात्मना अबन्धकः इति सिद्धान्तः //રૂ જ્ઞાન જ મોક્ષનું સાધન છે, આમ બોલતા પણ મોક્ષના ઉપાયનું અનુષ્ઠાન નહીં કરતા તથા બંધ અને મોક્ષની પ્રતિજ્ઞા કરતા એટલે કે મુખથી બંધ-મોક્ષની લાંબી લાંબી વાતો જ માત્ર કરતા એવા જીવો વાણીના વીર્ય વડે-એટલે કે વાણીના આડંબરમાત્ર વડે પોતાના આત્માને ખુશી કરે છે. મેં ઘણો ધર્મ કરી લીધો, એમ પોતાના આત્માને આશ્વાસિત કરે છે. પરંતુ વાસ્તવિક કંઈ પણ ફળ પામતા નથી. ll૬-૧૭ll. સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષા કે ભાષામાં ગવાયેલાં કાવ્યો મધુર લાગે, પણ તે ગાવા માત્રથી આ જીવનું તે કાવ્યો રક્ષણ કરનારાં બનતાં નથી. એ તો વાગ્વિલાસ માત્ર છે. વિદ્યા કે મંત્ર-તંત્રનું અનુશાસન (માત્ર શિક્ષણ) આત્માને બચાવનાર ક્યાંથી બને? આચરણ વિના કેવળ એકલું મંત્રોનું શિક્ષણ પણ રક્ષક બનતું નથી. તેથી પોતાની જાતને પંડિત માનનારા બાલજીવો ગીતાર્થગુરુની વાણી સાંભળતા નથી અને કેવળ પાપકર્મો કરવામાં જ મગ્ન રહે છે. જ્ઞાનમાત્રનાં જ કાવ્યો ગાવામાં જ લયલીન રહે છે. આચરણ સુધારતા નથી અને પોતાની જાતને પંડિત માને છે. ll૬-૧૧|| આ કારણથી જ આત્માની ક્ષાયોપથમિક ભાવની જે ચેતના છે, તે ચેતના જ્યારે યથાર્થ તત્ત્વો ઉપરની યથાર્થ શ્રદ્ધા કરવાપૂર્વક સમ્યજ્ઞાનના ઉપયોગવાળી બનેલી હોય અને તે ચેતના, તથા વીર્યાદિ શક્તિઓ હાલ જે પરભાવદશા રૂપ વિભાવમાં પ્રવર્તે છે તે પરભાવદશાત્મક વિભાવમાંથી ખેંચીને આત્માના ગુણોના વિકાસમાં પ્રવર્તાવે તેટલી તેટલી
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy