________________
૨૪૬ ત્યાગાષ્ટક - ૮
જ્ઞાનસાર तत्र सम्यग्लाभकाले प्रथमापूर्वकरणं, क्षपकश्रेणिनिवृत्तिबादरगुणस्थाने द्वितीयमपूर्वकरणम् । तत्र द्वितीये अपूर्वकरणे प्रथमः धर्मः अतात्त्विकः, स तात्त्विकः तत्त्वरूप एव भवति । भावना च यद्यपि क्षायोपशमिकाः सम्यग्दर्शनादिगुणाः अर्हत्प्रवचनादि-स्वजात्यबाधक-विजातिपरद्रव्यमवलम्ब्य प्रवर्तन्ते, परावलम्बनेन મતાત્ત્વિ: |
तत्त्वं स्व-स्वरूपं, (तत्त्वस्वस्वरूपं ) न तन्मया इति, किन्तु अर्हदादिगुणावलम्बिनः इति एष परानुयायिविषयाद्याश्रवपरिणतिपरित्यागेऽपि निर्विषय-निस्संग-तीर्थङ्कराद्यवलम्बनेऽपि परानुयायिताऽस्त्येव, इत्यनेन अतात्त्विकः यस्य सम्यग्दर्शनादिगुणक्षयोपशमः स्वरूपनिर्धार-भासन-रमणात्मकः अन्यनिमित्ताद्यालम्बनमृते स तात्त्विक इति ।
ભાવાર્થ આ પ્રમાણે છે કે – અનાદિકાળથી જે જીવ મિથ્યાષ્ટિ છે તે જ્યારે સૌથી પ્રથમ ઔપશમિક સભ્યત્વ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ સમ્યકત્વના લાભકાળે ત્રણ કરણ કરતાં ગ્રંથિભેદ કરાવનારું જે અપૂર્વકરણ થાય છે, તેને પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે. કારણ કે આવા પ્રકારનું અપૂર્વકરણ ભૂતકાળમાં આ જીવે ક્યારેય કર્યું નથી. આ પ્રથમ અપૂર્વકરણ સમ્યકત્વાભિમુખ મિથ્યાષ્ટિ જીવને પ્રથમ ગુણઠાણે થાય છે અને ક્ષપકશ્રેણિના કાળે ૮-૯૧૦-૧૨ ગુણઠાણે આરોહણ કરતાં નિવૃત્તિબાદર નામના આઠમા ગુણઠાણે જે અપૂર્વકરણ થાય છે તે અતિશય વિશુદ્ધ છે માટે તેને દ્વિતીય (બીજું) અપૂર્વકરણ કહેવાય છે.
ત્યાં ક્ષપકશ્રેણિગત બીજા અપૂર્વકરણમાં જીવ જ્યારે આવે છે ત્યારે જે પ્રથમ અતાત્ત્વિક ધર્મપરિણામ હતો તે તાત્ત્વિક-ધર્મપરિણામરૂપ જ થાય છે. પ્રથમ અપૂર્વકરણકાલે અતાત્ત્વિક ધર્મપરિણામ છે અને ક્ષપકશ્રેણિવાળા બીજા અપૂર્વકરણકાળે તાત્ત્વિક ધર્મપરિણામ છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે.
પ્રથમ અપૂર્વકરણકાળે આ જીવ મિથ્યાત્વમોહનીયના ઉદયને અટકાવીને તે મિથ્યાત્વમોહનું ત્રિપુંજીકરણ કરવા દ્વારા તેને ક્ષયોપશમભાવ રૂપે પમાડીને સમ્યગ્દર્શનાદિ ગુણોને પ્રાપ્ત કરે છે. તેથી તે સમ્યકત્વાદિ ગુણો જો કે ક્ષાયોપથમિકભાવના જ છે. (ઔદયિકભાવના નથી, કારણ કે ઔદયિકભાવથી સમ્યકત્વાદિ ગુણો આવતા નથી) તો પણ જ્ઞાતિવાદ = પોતાના આત્માના શુદ્ધસ્વરૂપાત્મક સ્વજાતિની જરા પણ બાધા ન કરનારાં, એટલે કે સ્વસ્વરૂપને હાનિ ન પહોંચાડનારાં (બલ્ક વૃદ્ધિ કરાવનારાં), પોતાના આત્માથી વિજાતીય એવાં પરદ્રવ્યાત્મક જે મwવરનારિ = અરિહંત પરમાત્માનાં પ્રવચન