________________
૨૨૦ ઈન્દ્રિયજયાષ્ટક - ૭
જ્ઞાનસાર વળી મોહના ઉદયથી તેમાં સુખબુદ્ધિ થઈ છે. વાસ્તવિકપણે તો તે પરપદાર્થ હોવાથી જીવનું છે જ નહીં. મનથી માની લેવામાં આવ્યું છે માટે આરોપિત છે. તથા પર્વતની ખાણોમાંથી નીકળે છે માટે પર્વતની માટીરૂપ જ છે તથા પર્વતના કાંકરાતુલ્ય જ છે. આમ જ્ઞાની મહાપુરુષો કહે છે. મૂઢ માણસો તેને મહામોહના ઉદયથી ધન માને છે અને પાસે રહેલા પોતાના સ્વરૂપાત્મક અને સ્વાધીન એવા જ્ઞાનધનને ધન નથી સમજતા. આ મહોદયની પ્રબળતા છે. પો
પુર:પુર:રઝૂMIT-મૃગતૃષ્ણાનુઋરિપુ ! इन्द्रियार्थेषु धावन्ति, त्यक्त्वा ज्ञानामृतं जडाः ॥६॥
ગાથાર્થ - જડ પુરુષો (મોહાલ્વ જીવો) જ્ઞાનરૂપી અમૃતને ત્યજીને આગળ આગળ વધતી છે તૃષ્ણા જેમાં એવા ઝાંઝવાના જલની તુલ્ય ઈન્દ્રિયોના વિષયોમાં દોડે છે. Ill
ટીકા :- “પુર:પુર રૂત્તિ”-નડા: મૂ: ચાતાવતુર્વરૂપોપત્નદિત જ્ઞાનામૃત જ્ઞાનં-વો:, તવ અમૃતમવિનાશિપ હેતુત્વ, તત્ (ત્યત્વે ત્યવસ્વી ક્રિયા થૈષरूपरसगन्धस्पर्शशब्दलक्षणेषु धावन्ति-भोगाभिलाषिणः आतुरा भवन्ति । तदर्थं यत्नः, तदर्थं दम्भविकल्पकल्पना, तदर्थं कृष्यादिकर्म करोति । कथम्भूतेषु इन्द्रियार्थेषु ? पुरःपुरःस्फुरत्तृष्णा-मृगतृष्णानुकारिषु-अग्रे स्फुरन्ती या तृष्णा-भोगपिपासा तया, मृगतृष्णा-जलभ्रान्तिः, तदनुकारिषु-तत्सदृशेषु, यथा मृगतृष्णाजलं न पिपासाऽपहं, भ्रान्तिरेव, एवमिन्द्रियभोगाः न सुखं सुखभ्रान्तिरेव तत्त्वविकलानाम् ॥६॥
વિવેચન :- પાંચે ઈન્દ્રિયોના વિષયો એવા છે કે જેમ જેમ વિષયની પ્રાપ્તિ થાય છે તેમ તેમ તે તે વિષયની તૃષ્ણા વધે છે. ક્યારેક પ્રાપ્ત વિષયથી મોહબ્ધ જીવને આનંદ થાય તો પણ અપ્રાપ્ત વિષયની પ્રાપ્તિ માટેની મહેચ્છાથી જીવ સદા અતૃપ્ત જ રહે છે અને અંદરથી દુઃખી દુઃખી જ રહે છે. અપ્રાપ્ત વિષયની આગ જલતી જ રહે છે. સો મળે ત્યારે હજારની ઈચ્છા અને હજાર મળે ત્યારે દસ હજારની ઈચ્છા અને દસ હજાર મળે ત્યારે લાખની તમન્ના. એમ આ તૃષ્ણા આગળ આગળ વધતી જ જાય છે. કારણ કે ઈચ્છા (આશા) આકાશની સમાન અનંતી છે. માટે જ આ તૃષ્ણા ઝાંઝવાના જલની તુલ્ય છે. જેમ જેમ આગળ જાઓ તેમ તેમ ઝાંઝવાનું જલ આગળ આગળ જ વધતું જાય તેવી રીતે તૃષ્ણા પણ આગળ આગળ વધતી જ જાય છે. ક્યારેય ઈચ્છાઓ પૂરાય નહીં તેવા વિષયો છે.
જડ પુરુષો એટલે મૂર્ખ મનુષ્યો અર્થાત્ અનેકાન્તરૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુસ્વરૂપ છે તેવા પ્રકારના બોધ વિનાના જીવો જ્ઞાનરૂપી અમૃતને ત્યજીને ઉપર કહેલા મિથ્થા સુખભ્રમ કરાવનારા પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં દોડે છે. નવતત્ત્વો અને છ દ્રવ્યોનું