SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ “શ્રી જ્ઞાનવિમલસૂરિજી કન્ડે, વાંચી ભગવતી ખાસ / મહાભાષ્ય અમૃત લો, દેવચંદ્ર ગણિ પાસ છે” તથા શ્રી જિનવિજયજીના શિષ્ય શ્રી ઉત્તમવિજયજીને ભાવનગરના ચોમાસામાં આગમોનો અભ્યાસ કરાવ્યો હતો તે અંગેનો પાઠ “ઉત્તમવિજયજી નિર્વાણ રાસ”માં છે. તે આ પ્રમાણે – ભાવનગર આદેશે રહ્યા, ભવિ હિત કરે મારા લાલ / તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ ! વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ / પન્નવણા અનુયોગદ્વાર, વળી શુભમતિ મારા લાલ ! સર્વ આગમની આજ્ઞા દીધી, દેવચંદ્રજી મારા લાલ | જાણી યોગ્ય તથા ગુણગણના વૃંદ મારા લાલ | તપાગચ્છ, ખરતરગચ્છ અને અંચલગચ્છ વગેરે ગચ્છોના વિદ્વાન મુનિવરો પ્રત્યે તેમનો ઘણો પ્રેમભાવ હોવાથી તથા ગુણાનુરાગિતા, સમભાવદષ્ટિ અને આત્મજ્ઞાનિતા ઈત્યાદિ ગુણો તેઓમાં અતિશય વિકાસ પામેલા હોવાથી સર્વ ગચ્છોમાં તેમની હયાતિમાં જ તેઓની પ્રતિષ્ઠા-મહત્તા-ખ્યાતિ અને વિદ્વત્તા ઘણી પ્રસિદ્ધિને પામી હતી. શ્રી પઘવજયજીએ બનાવેલા “ઉત્તમવિજયજી નિર્વાણરાસ”માં જણાવ્યું છે કે - ખરતરગચ્છમાંહે થયા રે, નામે શ્રી દેવચંદ્ર રે | જૈનસિદ્ધાન્ત શિરોમણિ રે, ધર્યાદિક ગુણવૃંદો રે || દેશના જાસ સ્વરૂપની રે .....૨૨ ગુણોથી અલંકૃત વ્યક્તિત્વ વિક્રમ સંવત ૧૮૨૫ ના આસો સુદ-૮ ના રવિવારે બનાવેલા (તે દિવસે પૂર્ણતા પામેલા) “દેવવિલાસ રાસ”માં પ્રારંભમાં પૂજ્યશ્રીમાં સુંદર અદ્વિતીય ૨૨ ગુણો હતા તેનો ઉલ્લેખ તથા વર્ણન ત્યાં આપેલું છે. તે ૨૨ ગુણોનાં નામો આ પ્રમાણે છે. (૧) સત્યવક્તા (૫) નિષ્કપટી (૯) સકલશાસ્ત્રપારગામી (૨) બુદ્ધિમાન (૬) અક્રોધી (૧૦) દાનેશ્વરી (૩) જ્ઞાનવંતતા (૭) નિરહંકારી (૧૧) વિદ્યાદાનશાળાપ્રેમી (૪) શાસ્ત્રધ્યાની (૮) સૂત્રનિપુણ (૧૨) પુસ્તકસંગ્રાહક
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy