________________
જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬
૧૯૫ स्वयम्भूरमणस्पर्धि-वर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥६॥
ગાથાર્થ :- સ્વયંભૂરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરતો અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો એવો સમતાનો રસ છે જેમાં એવા મુનિમહારાજા જેની સાથે ઉપમાવી શકાય (સરખાવી શકાય). એવી કોઈપણ વસ્તુ ચરાચર એવા આ જગતમાં નથી. /૬/
ટીકા :- “સ્વયજૂ” રૂતિ-સ્વયમ્ભરમUT: મર્ડર ઝુમા : પ્રાન્તમુદ્રા, તી स्पर्धी स्पर्धाकारी, वर्धिष्णुः-वर्धमानः, समतारसः-समता रागद्वेषाभावः, तस्याः रसः समतारसः, एवंविधो मुनिः त्रिकालाविषयी अतीतकालरमणीयविषयस्मरणाभावः वर्तमानेन्द्रियगोचरप्राप्तविषयरमणाभावः अनागतकालमनोज्ञविषयेच्छाऽभाववान् मुनिः येन उपमानेन उपमीयते, चराचरे-विश्वे असौ कोऽपि न जगति, यत् तत्सर्वमचेतनपुद्गलस्कन्धजं मूर्तञ्च, तत्समतारसेन सहजात्यन्तिकनिरुपमचरितशमभावस्वरूपेण कथमुपमीयते ? दुर्लभो हि समतारसः, विश्वे = शुभाशुभभावे परत्वेन अरक्तद्विष्टतया वृत्तिः शुद्धात्मानुभवः । उक्तञ्च -
વિવેચન : - અનંત ઉપકારી શ્રી તીર્થકર ભગવંતોએ કેવલજ્ઞાન દ્વારા જોઈને જણાવેલી જૈનદર્શનની ભૂગોળ પ્રમાણે ૧૪ રાજનો આ લોકાકાશ છે. તેમાં અધોલોકમાં ૭ નારકી છે. ઊર્ધ્વલોકમાં ૧૨ દેવલોક, ૯ રૈવેયક અને પ અનુત્તરદેવ આદિ છે. મધ્યલોકમાં અસંખ્યાત દ્વિીપ-સમુદ્રો છે. આ લોકાકાશ મધ્યમાં ૧ રાજ (અસંખ્યાતા યોજન) લાંબો-પહોળો, થાળી જેવો ગોળ છે. તેમાં સૌથી મધ્યમાં ૧ લાખ યોજન લાંબો-પહોળો, થાળી જેવો ગોળ જંબૂદ્વીપ છે. તેનાથી દ્વિગુણ (ડબલ) વિસ્તારવાળો એટલે બે લાખ યોજન લાંબો-પહોળો લવણસમુદ્ર બંગડી જેવો ગોળ છે કે જે જંબુદ્વીપની ચારે તરફ વીંટળાયેલો છે. ત્યારબાદ ડબલ-ડબલ વિસ્તારવાળા દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા છે. છેલ્લો “સ્વયંભૂરમણ” સમુદ્ર છે જે સાધિક અર્ધરાજ પ્રમાણ (અસંખ્યાતા યોજન લાંબો-પહોળો) આ સમુદ્ર છે અને આ સ્વયંભૂરમણ સમુદ્ર એ અન્તિમ સમુદ્ર છે. જેની પછી અલોકાકાશ શરૂ થાય છે.
- સૌથી વધારેમાં વધારે પાણી આ સમુદ્રમાં છે. શમભાવને પામેલા મુનિમાં “શમભાવદશા રૂપ પાણી” પણ આવું જ અમાપ હોય છે. આ બન્નેની સ્પર્ધા (હરીફાઈ) ચાલે છે. સમદ્ર કહે છે કે મારામાં જલ ઘણું છે જ્યારે આવા મનિમાં શમભાવરૂપી જલ લોકોને ઘણું દેખાય છે. એટલું જ નહીં પણ સમુદ્રમાં પાણી જે છે અને જેટલું છે તે જ રહે છે અને તેટલું જ રહે છે. જ્યારે મુનિમહાત્મા તો જેમ જેમ ગુણસ્થાનકોમાં ચઢે છે તેમ તેમ શમભાવ રૂપી જલ ક્ષયોપશમભાવમાંથી ક્ષાયિકભાવ થવાથી વૃદ્ધિ પામે છે. તેથી સ્વયંભૂરમણ