SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમંજરી મોહત્યાગાષ્ટક - ૪ ૧૦૩ છે અથ ચતુર્થ મોહત્યાષ્ટિમ્ | अथ स्थिरता मोहत्यागाद् भवति, आत्मनः परिणतिचापल्यं मोहोदयात्, मोहोदयश्च निर्धाररूपसम्यग्दर्शनस्वरूपरमणचारित्रावारकश्च, क्षयोपशमी चेतनावीर्यादीनां विपर्यासपररमणतादिपरिणमनरूपः इति तेन चापल्यम्, अतः मोहोदयवारणेन स्थिरता भवति, तेन मोहत्यागाष्टकं वितन्यते, नामस्थापनामोहः सुगमः, द्रव्येण-मदिरापानादिना मोहः-मूढतापरिणामः, द्रव्यात्-धनस्वजनवियोगात्, द्रव्ये-शरीरपरिग्रहादौ, द्रव्यरूपो मोहः मोहनगीतादिषु गन्धर्वादीनां वाक्येषु, अनुपयुक्तस्य आगमतो, नोआगमतो रागवत्सु । ઉપરના અષ્ટકમાં કહેલો સ્થિરતા નામનો ગુણ મોહના ત્યાગથી જીવને પ્રાપ્ત થાય છે. કારણ કે આ આત્માની માનસિક પરિણતિની (પરિણામોની) અસ્થિરતા મોહના ઉદયથી થાય છે. વસ્તુઓ પ્રત્યેની ઈષ્ટાનિઝ બુદ્ધિ જ જીવને કલુષિત-અસ્થિર વિચારવાળો કરે છે. આ મહોદય બે પ્રકારનો હોય છે - એક દર્શનમોહનો ઉદય અને બીજો ચારિત્રમોહનો ઉદય. ત્યાં નિર્ધાર = જિનેશ્વરભગવંતોએ જે ભાખ્યું છે તે સંપૂર્ણપણે સત્ય છે એવો પાકો જે નિર્ણય, તે રૂપ સમ્યગ્દર્શન નામના ગુણનો આવારક જે મોહોદય તે દર્શનમોહોદય કહેવાય છે અને આત્માની પોતાના શુદ્ધ સ્વરૂપમાં જે રમણતા છે તે રૂપ ચારિત્રગુણને રોકનારો જે મોહોદય છે તે ચારિત્રમોહોદય કહેવાય છે. આમ શ્રદ્ધા રૂપ સમ્યગ્દર્શનનો અને સ્વરૂપરમણતા રૂપ ચારિત્રનો આવારક જે મોહોદય, તે બે પ્રકારનો મોહોદય છે. જ્ઞાનાવરણીયકર્મના અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલ ચેતનાગુણ અને વીર્યગુણના ક્ષયોપશમવાળો જીવ તે જ ચેતનાગુણની અને વીર્યગુણની મોહોદયના કારણે વિપર્યાસ રૂપે એટલે કે પરદ્રવ્યમાં જ રમણતા કરવા સ્વરૂપે પરિણમન કરનારો બને છે. સારાંશ કે ક્ષયોપશમ ભાવવાળા ચેતનાગુણ અને વીર્યગુણનો વિપર્યાસ કરાવવા દ્વારા આ મોહોદય આત્માને પરદ્રવ્યોમાં જ પરિણમન કરાવવાવાળો થાય છે. આત્માના ગુણોને કલુષિત કરનાર, અશુદ્ધભાવે પરિણામ પમાડનાર આ મહોદય છે. આ પ્રમાણે પૂર્વબદ્ધ મોહનીયકર્મના ઉદયથી આ જીવને પદ્ગલિક પદાર્થો પ્રત્યે તથા અન્ય જીવદ્રવ્યો પ્રત્યે ઈષ્ટાનિઝ બુદ્ધિ કરાવવા દ્વારા આ મહોદય જ આત્માની ચંચળતા (અસ્થિરતા) સર્જાવે છે. આ કારણથી આવા પ્રકારના આ મહોદયને વારવા વડે જીવમાં સ્થિરતા પ્રગટ થાય છે. એટલે કે જો મોહોદયને અટકાવવામાં આવે તો જ સ્થિરતા ગુણ
SR No.009133
Book TitleGyansar Astak tatha Gyanmanjari Vrutti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2011
Total Pages929
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size290 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy