________________
સ્થિરતાષ્ટક - ૩
જ્ઞાનસાર પીત્તળના ટુકડામાં કરાયેલો સુવર્ણનો ભ્રમ જ અતિશય દુઃખદાયી થાય છે. પીત્તળને સુવર્ણ માનીને સુવર્ણ તરીકેની કિંમત ચૂકવી આપે અને પછીથી ખ્યાલ આવે કે આ ટુકડો તો પીત્તળ છે ત્યારે ઘણું દુઃખ થાય છે. તેવી જ રીતે આત્માના શુદ્ધ સ્વરૂપની ભ્રાન્તિ જ સ્વપરિણતિને પરના કર્તૃત્વરૂપે પરિણામ પમાડે છે. મોહના ઉદયને પરવશ થયેલો જીવ પોતાના શુદ્ધ સ્વરૂપનો હું કર્તા-ભોક્તા છું તે ભૂલી જાય છે. પરમાં જ કર્તુત્વ-ભોક્નત્યાદિ માની લે છે. જ્યારે આ જીવનો મોહોદય મંદ પડે છે અને આ જીવને પોતાના સ્વરૂપનો બોધ થાય છે અને મારા આત્માના શુદ્ધ ગુણોનો આવિર્ભાવ કરવાનું કાર્ય જ મારે કરવું જોઈએ. આવા પ્રકારનો પાકો નિર્ધાર (નિશ્ચય) થાય છે ત્યારે પોતાના આત્માની પરિણતિ જે પરના કર્તૃત્વાદિ ભાવમાં જોડી હતી તેને પોતાના ગુણોનો પ્રાદુર્ભાવ કરવા સ્વરૂપ સ્વકાર્ય કરવામાં જ પ્રયુજિત કરે છે, અને હવે તે જીવ પોતાની આત્મપરિણતિને પરના કર્તૃત્વમાં જોડતો નથી.
સ્વરૂપ દશાથી મૂઢ (અજાણ) એવા આ જીવે છએ કારકચક્ર પરના જ કર્તૃત્વભોક્નત્વ-ગ્રાહકત્વ-સંરક્ષકત્વ આદિ ભાવે વ્યાપારિત કરીને તે કારકચક્રને અશુદ્ધ કર્યું હતું. પોતાનું શુદ્ધ એવું પણ કારકચક્ર મલીન કર્યું હતું, જ્યારે સ્વદ્રવ્ય શું? અને પરદ્રવ્ય શું? તેનો વિવેક (ભેદજ્ઞાન) આ જીવને જ્યારે થાય છે ત્યારે “હું તે જ હું છું (મારો આત્મા તે જ હું છું), પરદ્રવ્ય સઘળાં પર છે (અન્ય સઘળાં જીવદ્રવ્યો અને પુદ્ગલદ્રવ્યો મારાં નથી, મારાથી પર છે, માત્ર કર્મના ઉદયથી તેનું મિલન થયું છે), હું પરનો કર્તા કે પરનો ભોક્તા નથી, આવા પ્રકારનો પ્રગટ થયો છે વિવેક જેને એવો આ જીવ પોતાના કારકચક્રને પોતાના આત્મગુણોને પ્રગટ કરવામાં અને પ્રગટ થયેલા આત્મગુણોનો ઉપભોગ કરવા સ્વરૂપ સ્વકાર્ય કરવામાં જ પ્રયુંજે છે. પરથી ખસીને સ્વમાં જોડાય છે. (૧) આત્મ - મારા આત્મામાં રહેલા મારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરનાર મારો પોતાનો
આત્મા જ છે. બીજાથી આ સ્વરૂપ પ્રગટ થતું નથી. (આ કર્તાકારક). (૨) માત્માનમ્ - મારે મારા આત્માને (આત્મસ્વરૂપને) જ મેળવવાનું છે. બીજું કંઈ
પણ મેળવવા જેવું છે જ નહીં અને મેળવેલું તે બીજું ધનાદિ પરસ્વરૂપ કાયમ રહેતું જ નથી, વિનાશી છે. કારણ કે આત્માનું પોતાનું (માલિકીભાવે) તે સ્વરૂપ નથી, પુણ્યકર્મોદયજન્ય સંયોગમાત્ર જ છે, માટે મારે તો ક્ષાવિકભાવના ગુણો જ પ્રાપ્ત
કરવા જેવા છે (આ કર્મકારક). (૩) કાત્મના – હું જો મારા સ્વ-સ્વભાવમાં રહીશ તો જ એટલે કે સ્વ-સ્વભાવમાં