SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ૩૯ છે. માટે ઘટની જેમ તેનો કોઈક કર્તા છે. જે કર્યા છે તે આત્મા છે. જે જે આદિવાળું હોતે છતે અમુક પ્રકારના ચોક્કસ આકારવાળું હોય છે તેનો અવશ્ય કોઈક કર્તા હોય જ છે. જેમકે ઘટ-પટ વગેરે પદાર્થો આદિવાળા પણ છે અને પ્રતિનિયત આકારવાળા પણ છે. તેથી તેનો કુંભાર-વણકર કર્તા પણ છે જ. જે જે વસ્તુનો કર્તા નથી હોતો તે તે વસ્તુ આદિવાળી અને પ્રતિનિયત આકારવાળી હોતી નથી. જેમકે વાદળ. આ રીતે દેહનો જે કર્યા છે તે જ આત્મા છે. પ્રશ્ન - અહીં હેતુમાં મામિત્ શબ્દ શા માટે કહ્યો ? મૂલગાથામાં તો “પ્રતિનિયતીdal” આટલું જ કહ્યું છે. તો હેતુમાં આ વિશેષણ ઉમેરવાની જરૂર શું? ઉત્તર - તમારો પ્રશ્ન સાચો છે. પરંતુ એકલું પ્રતિનિયતાકારપણું તો મેરુપર્વત-સૂર્યચંદ્રનું વિમાન, શાશ્વતી મૂર્તિઓ આદિમાં પણ છે અને તે પદાર્થોનો કર્તા કોઈ જ નથી સ્વયંસિદ્ધ છે. તેથી હેતુ સાધ્યના અભાવમાં રહેનારો પણ થાય છે. જેથી અનૈકાન્તિક હેત્વાભાસ થઈ જાય છે. “જે જે પ્રતિનિયતાકારવાળા પદાર્થો છે તે તે કર્તાવાળા છે” આવી અન્વયવ્યાપ્તિ થતી નથી. તેથી ગાથામાં નથી કહ્યું તો પણ “મમિત્' વિશેષણ સમજવું. શરીરના કર્તા તરીકે આત્માની સિદ્ધિ કરી. આ એક અનુમાન થયું. - શરીરમાં રહેલી ચક્ષુ-શ્રોત્ર આદિ પાંચે ઈન્દ્રિયોનો “ધિકૃત” ઉપયોગ કરનાર, ઈન્દ્રિયોને વિષયમાં જોડનાર કોઈક છે. શરીરની અંદર કોઈ સંયોજકતત્ત્વ છે. કારણ કે ઈન્દ્રિયો એ કરણ (સાધન) છે. જે જે કરણ હોય છે તેનો કોઈક અધિષ્ઠાતા પણ હોય છે. જેમકે ઘટ બનાવવામાં ચક્ર-ચીવર (વસ્ત્ર), મૃત્ (માટી), સૂત્ર (દોરી), દંડ આદિ સાધનો છે. તો તેનો ઉપયોગ કરનાર કુલાલ (કુંભાર) છે. તેમ અહીં પણ સમજવું. જે જે વસ્તુ અધિષ્ઠાતા વિનાની હોય છે તે તે વસ્તુ કરણરૂપે બનતી નથી જેમકે આકાશ. આકાશદ્રવ્યનો કોઈ અધિષ્ઠાતા નથી, તેથી તે આકાશ કોઈનું કરણ પણ બનતું નથી. આ રીતે પાંચે ઈન્દ્રિયોનો જે અધિષ્ઠાતા છે, ઉપયોગ કરનાર તત્ત્વ છે તે જ આત્મા છે. મરેલા શરીરમાં પાંચ ઈન્દ્રિયો હોવા છતાં પણ અધિષ્ઠાતા જીવદ્રવ્ય ન હોવાથી તેનો ઉપયોગ કરાતો નથી. “ન્દ્રિયામતિ ધBIRા, રપત્વિ, વિવત્ '' આ બીજુ અનુમાન થયું. (અહીં ધષ્ઠાતા શબ્દ મૂલગાથામાં નથી. તો પણ પૂર્વાપર સંબંધના કારણે અધ્યાહારથી સમજી લેવો.) I/૧૫૬૭ll अत्थिंदियविसयाणं, आयाणादेयभावओ अवस्सं । कम्मार इवादाया, लोए संडासलोहाणं ॥१५६८॥
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy