SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ અનીશ્વરપણું માનવાની આપત્તિ આવશે. જેને કાર્ય કરવાનાં પ્રયોજનો બાકી હોય તેને ઈશ્વર કહેવાય નહીં. આ ઈશ્વર અથવા આપણો સંસારી જીવ કર્મ વિનાનો હોય તો અનાદિકાળથી સ્વયં પોતે શુદ્ધ જ છે અને સ્વયં અનાદિશુદ્ધ એવા ઈશ્વરને કે જીવને દેહાદિની રચના કરવાની ઈચ્છા થાય તે પણ ઉચિત નથી. કારણ કે દેહાદિની રચના કરવાની ઈચ્છા છે તે પણ સુખ-દુઃખ આપવાની ઈચ્છા સ્વરૂપ છે. માટે રાગદશા છે અને અનાદિ શુદ્ધ ને રાગદશા કેમ હોય ? ઈશ્વરને જગત્કર્તા માનવામાં આવી ઘણી ચર્ચા થઈ શકે છે. પરંતુ વિષય વધારે કઠીન અને લાંબો થઈ જાય માટે વધારે કહેતા નથી. કોઈ વિષ્ણુને જગત્કર્તા માને, કોઈ બ્રહ્માને જગત્કર્તા માને, કોઈ અલૌકિક અદેશ્ય શક્તિને જગત્કર્તા માને, તેનું ખંડન પણ ઉપર કહેલી ચર્ચાને અનુસાર સ્વયં સમજી લેવું. માટે આ ભાગ્યશરીરોની રચના ઈશ્વર, વિષ્ણુ કે બ્રહ્મા આદિ અન્ય કોઈ વ્યક્તિ કરતું નથી. પરંતુ કાર્મણશરીરની સાથે વર્તતો આપણી પોતાનો જીવ જ તે કર્મના ઉદયને અનુસારે ભોગ્યશરીરની રચનાનો કર્તા છે. તેથી ભવાન્તર જતા જીવની સાથે પોતે જ બાંધેલા કર્મોનું બનેલું સૂક્ષ્મ અદશ્ય કાર્પણ શરીર સાથે જ હોય છે અને તે જ કર્મતત્ત્વ છે. ll૧૬૪૨ા. अहव सहावं मन्नसि, विण्णाणघणाइवेयवुत्ताओ । तह बहुदोसं गोयम !, ताणं च पयाणमयमत्थो ॥१६४३॥ (अथवा स्वभावं मन्यसे, विज्ञानघनादिवेदोक्तात् । તથા વદુતોષ ગૌતમ ! તેષાં ૪ પાનામયમર્થ: II) ગાથાર્થ - તથા “વિજ્ઞાનન” વગેરે વેદમાં કહેલાં પદોથી તમે “સ્વભાવને” જગત્કર્તા માનો તો હે ગૌતમ ! ઘણા દોષો લાગે છે. તેથી તે પદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. /૧૬૪all વિવેચન - ભિન્ન ભિન્ન સ્કૂલ ભોગ્ય શરીરોની રચના જગતમાં જે દેખાય છે તેનો કર્તા જેમ કર્મ વિનાનો શુદ્ધ જીવ કે ઈશ્વરાદિ સંભવતા નથી. તેમ કોઈ કોઈ દર્શનકારો વેદપદોનો આશ્રય લઈને પોતાને મનમાન્યા અર્થો કરીને “સ્વભાવને” જગત્કર્તા કહે છે. તે પણ યુક્તિસંગત નથી. કારણ કે તેમ માનવામાં પણ ઘણા દોષો આવે છે. તે વાત સમજાવવા માટે આ ગાળામાં સ્વભાવવાદની ચર્ચા કરે છે. “વિજ્ઞાનધન પર્વતેગ્યો ભૂતેષ્યઃ'
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy