SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 42 આગમ-કથાઓ | વિનાશન નિમિત્ત પણ પ્રેરક હતું. આવી જ શ્રદ્ધા અને ધર્મદલાલીનાં કાર્યોથી તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. (૩) તે સમયે શ્રી કૃષ્ણ પોતાની આઠ પટ્ટરાણીઓને સહજ રીતે દીક્ષાની આજ્ઞા આપી દીધી હતી. આજે આપણે પણ જાણીએ છીએ કે આ જીવન ચંચળ છે. આયુષ્યની દોરી એક દિવસ તૂટવાની છે. પરંતુ આળસ, પ્રમાદ અને મોહને વશ થઈને ધર્મ આરાધનાના કર્તવ્યને ભૂલી રહ્યા છીએ અથવા ભવિષ્યના ભરોસે છોડી દઈએ છીએ. પ્રસ્તુત પ્રકરણના શ્રવણથી આપણે આપણા જીવનને નવો વણાંક આપવો જોઈએ. વ્રત અને મહાવ્રતોમાં અગ્રેસર થવુ જોઈએ. (૪) કષ્ણ વાસુદેવના જીવનના વિભિન્ન ઉતાર-ચઢાવને સમજીને એ સ્વીકારવું અને સમજ ાં જોઈએ કે આ બાહ્ય વૈભવ પણ જયાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી જ જીવને સાથ આપે છે. શ્રી કૃષ્ણનો એક સમય એવો હતો કે તેમના બોલાવવાથી દેવ હાજર થયા અને દ્વારિકાની રચના કરી દીધી. સુસ્થિત દેવે લવણ સમુદ્ર પાર કરાવી દીધો. ગજસુકુમાર ભાઈ થશે એવી સૂચના પણ દેવે જ આપી હતી. પરંતુ પુણ્યોદય સમાપ્ત થયો અને પાપનો ઉદય થયો ત્યારે નગરીની એક વ્યકિત સોમિલે જ નવ દીક્ષિત મુનિ અને કૃષ્ણના ભાઈની, અરિષ્ટનેમિ ભગવાન ત્યાં બિરાજમાન હોવા છતાં હત્યા કરી દીધી અને જે દ્વારિકા હંમેશા તીર્થકર, મુનિઓથી પાવન રહેતી હતી, પ્રથમ દેવલોકના દેવો દ્વારા નિર્મિત હતી તેને એક સામાન્ય દેવે બાળીને ભસ્મ કરી દીધી. આ બધાં પશ્ય અને પાપ કર્મોને લીધે ઉદયમાં આવતાં ફળ છે.કર્મોની વિચિત્ર અવસ્થાઓને જાણીને કર્મોથી હંમેશને માટે મુકત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમ્યકત્વના લક્ષણ શાંત હો આવેગ સારે, શાન્તિ મનમેં વ્યાપ્ત હો,– મુકત હોને કી હૃદયમેં, પ્રેરણા પર્યાપ્ત હો, વૃત્તિ મે વૈરાગ્ય, અંતર ભાવમેં કરુણાં રહે,– વીતરાગ વાણી સહી, યાં અટલ આસ્થા નિત રહે. છઠ્ઠો વર્ગ પાંચ વર્ગોમાં બાવીસમા તીર્થંકરના શાસનવર્તાિ મોક્ષગામી ૫૧ જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આગળના ત્રણેય વર્ગોમાં અંતિમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના શાસનના ૩૯ જીવોનું વર્ણન છે. આ છઠ્ઠા વર્ગમાં ૧૩ અધ્યયન છે. જેમાં શેઠ અને અર્જુનમાલી તથા અતિમુકતક રાજકુમાર અર્થાત્ એવંતામુનિનું જીવન વર્ણન છે. પહેલું બીજું અધ્યયન – મકાઈ અને કિંકમ પ્રાચીનકાળમાં રાજગૃહી નામની નગરી હતી. શ્રેણિક ત્યાંના રાજા હતા. મકાઈ શેઠ તે નગરીમાં રહેતા હતા. તે ધનાઢય અને અત્યંત સમૃદ્ધ હતા. એક વાર ભગવાન મહાવીર સ્વામીનું ત્યાં આગમન થયું. મકાઈ શેઠ ભગવાનના સમવસરણમાં ગયા. ભગવાનના દર્શન કર્યા. વંદન નમસ્કાર કરી ઉપદેશ શ્રવણ કર્યું. તેનો તે દિવસ ધન્ય થઈ ગયો. તે ધર્મના રંગમાં રંગાઈ ગયા. સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. ઘેર આવીને મોટા પુત્રને સંપૂર્ણ ઘરની જવાબદારી સોંપી દીધી. પુત્ર મહોત્સવની સાથો સાથ હજાર પુરુષ ઉચકે એવી શિબિકામાં બેસાડીને ભગવાનના સમવસરણમાં પહોંચાડયા.યોગ્ય સમયે ભગવાને દીક્ષાનો પાઠ ભણાવ્યો. શેઠ હવે મકાઈ અણગાર બની ગયા. સંયમની વિધિઓને શીખીને તે સમિતિ ગુપ્તિવંત બની ગયા. તેમણે સોળ વર્ષ સુધી સંયમ પયાર્યનું પાલન કર્યું. અગિયાર અંગ સૂત્રો કંઠસ્થ કર્યા. ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર આદિ વિશિષ્ટ તપશ્ચર્યાઓ કરી. અન્ય પણ માસખમણ સુધીની તપશ્ચર્યાઓથી પોતાની સંયમ આરાધના કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને શ્રેષ્ઠ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. મકાઈ શેઠની જેમ જ કિંકમ શેઠનું પણ વર્ણન છે. દીક્ષા પર્યાય, તપસ્યા, શ્રુતજ્ઞાન, વગેરે પણ સમાન જ છે. અંતમાં કિંકમ શેઠે પણ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. ત્રીજું અધ્યયન અર્જનમાળી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા ત્યાં “અર્જુન”નામનો એક માળી રહેતો હતો. જે ઋદ્ધિ સંપન્ન હતો. તેનો પોતાનો જ એક ખૂબ મોટો બગીચો હતો. તે અર્જુનને બંધુમતી નામની પત્ની હતી. જે સ્ત્રીનાં બધાં જ ગુણો અને લક્ષણોથી સુસંપના હતી. અર્જુનમાળીની પુષ્પવાટિકાની બાજુમાં એક “મુદ્ગરપાણિ” નામના યક્ષનું મંદિર હતું. તેમાં મુગરપાણિ યક્ષની મૂર્તિ હતી. અર્જુન માળીના પૂર્વજોની અનેક પેઢીઓથી તે યક્ષની પૂજા કરવામાં આવતી. તે અર્જુન પણ ફૂલ એકઠા કરીને સારા-સારા લગ વીણીને તે યક્ષની પ્રતિમાને પુષ્પ અપર્ણ કરતો; પંચાગ નમાવીને પ્રણામ કરતો; તેની સ્તુતિ અને ગુણગાન કરતો.પછી ફૂલ અને માળાઓ લઈને રાજમાર્ગ પાસે બેસીને આજીવીકા કમાતો હતો. લલિતા ગોષ્ઠી –તે જ નગરમાં લલિતા નામની ગોષ્ઠી રહેતી હતી. જેને વર્તમાન ભાષાઓમાં “ગુંડાઓની ટોળી” કહી શકાય. મહોત્સવ - એક વાર નગરમાં કોઈ આનંદનો મહોત્સવ હતો. અર્જુન માળીએ સવારે વહેલા ઉઠીને બંધુમતીને પણ સાથે લીધી. કારણ કે ફૂલોનું વેચાણ વિશેષ થવાનું હતું.માળી-માલણ બંને બગીચામાં આવ્યા. ઘણાં બધાં ફૂલ એકઠા કર્યા. છાબડીઓ ભરી અને મુદ્દગરપાણિ યક્ષની પૂજા માટે કેટલાંક સુંદર ફુલો અલગ કર્યા. ગોષ્ઠીના છ પુરુષોનો ઉપદ્રવ - પતિ-પત્ની બંને પક્ષના મંદિર તરફ પહોંચ્યા. લલિત ગોષ્ઠીના ૬ પુરુષો પહેલેથી જ તે મંદિરમાં હતા અને ઇચ્છા પ્રમાણે પોતાની ક્રીડાઓ કરી રહ્યા હતા. અર્જુન માળીને પત્ની સાથે આવતો જોયો અને અંદરોઅંદર વિચાર કર્યો કે અર્જુનમાળીને બાંધીને આપણે તેની પત્ની સાથે સુખોપભોગ કરીશું.મંત્રણા કરી તે છયે મોટા પ્રવેશદ્વારની પાછળ સંતાઈ ગયા. અર્જુનમાળી અને બંધુમતીએ મંદિરમાં પ્રવેશ કર્યો. યક્ષને પ્રણામ કર્યા, ફુલ ચડાવ્યા અને પછી પંચાગ નમાવીને અર્થાત્ ઘૂટંણો ટેકવીને પ્રણામ કર્યા. તે જ સમયે છ એ પુરુષ એક સાથે નીકળ્યા અને તેને એ જ દશામાં બાંધી બંધુમતી માલણ સાથે ઈચ્છિત
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy