________________
ખરેખર ખુબ જ સુંદર સંકલન કરેલ છે. પૂર્વરંગથી શરૂ થતું જીવ-અજીવ, કર્તા-કર્મ અધિકાર વગેરેમાં ક્રમે ક્રમે વ્યવહાર અને નિશ્ચય બન્નેને ઘણો સુંદર ન્યાય આપેલ છે. જો ભોક્તાભોગ્ય ભાવ બરાબર સમજાય તો જીવ અને પુગલની જે સંધી છે, તે તોડતા વાર ન લાગે. તેનું સુંદર નિરૂપણ કરેલ છે.
અને અંતિમ પ્રકરણમાં શુદ્ધ તત્વની છણાવટ કરી વિશુદ્ધ સ્વભાવી આત્મા ન તો કોઈનો કર્તા છે કે ન તો ભોક્તા છે તે સિદ્ધ કરી પરમ અર્થની પ્રાપ્તી કરાવે છે. હકીકતમાં આ સંક્ષિપ્તિકરણ વાંચક વર્ગને આત્માભિમુખ કરશે તેજ અભ્યર્થના.
- વસંતભાઈ કે ગાંધી