SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે, તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે – મારું સ્વરૂપ નથી, આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે. તેથી જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી. અવિરત સમ્યગ્દષ્ટિને જોકે ચારિત્રમોહનાં ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે, તો પણ તે ભાવોમાં તેને આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે, આગામી એવો બંધ કરતા નથી. કે જેથી સંસારનું ભ્રમણ વધે, કારણકે (જ્ઞાની) પોતે ઉદ્યમી થઈને જ્ઞાતાપણું ચુકીને પરિણમતો નથી; જ્ઞાનીનું સ્વામીપણું નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. તેથી તે ક્રોધાદિક ભાવોનો અન્ય શેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે. અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુગલના પરિણામ છે અને તેમનો સ્વાદ તત્ત્વ-અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્મણારૂપ નવા યુગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પરિણામે છે અને જીવ સાથે બંધાય છે અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી તત્ત્વ-અશ્રદ્ધાનાદિ ભાવો રૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે. મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવા પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવુ અને જીવનું પોતાના તત્ત્વ-અશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું – એ ત્રણે ય એક સમયે જ થાય છે. સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી. જીવથી જુદુ જ પુગલદ્રવ્યનું પરિણામ છે. જો પુદ્ગલદ્રવ્ય અને જીવ ભેળાં થઈને કર્મરૂપે પરિણમે તો. બન્નેને કર્મરૂપ પરિણામ ઠરે. પરંતુ જીવ તો જડ કર્મરૂપે કદી ૧૮ સમયસાર નો સાર
SR No.009128
Book TitleSamaysaarno Saar
Original Sutra AuthorN/A
AuthorShobhnaben Kamdar
PublisherNeemaben Kamdar
Publication Year2011
Total Pages73
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy