________________
૩૩૦
કહેલાં તત્ત્વ તે ધર્મ છે. આ પ્રકારે મેં સમ્યક્ત્વને ગ્રહણ કર્યું છે.’” -ઉપદેશામૃત (પૃ.૧૬૫)
*
‘પ્રતિક્રમણ સૂત્ર'માંથી
*
સર્વ જીવોને હું ખમાવું છું; સર્વ જીવો મને ક્ષમા કરો “ખમિઅ-ખમાવિએ મઈ ખમહ, સવ્વહ જીવ-નિકાય
*
*
1
સિદ્ધહ સાખ આલોયણ, મુઝ્ઝહ વઈર ન ભાવ. ।।૧૫।।
અર્થ :—હે જીવ-સમૂહ ! તમે ખમત-ખામણા કરીને સર્વે મારા પર ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું કે મારે કોઈ પણ જીવ સાથે વૈર-ભાવ નથી. ।।૧૫।
સવ્વ જીવા કમ્મ-વસ, ચઉદહ-રાજ-ભમંત ।
તે મે સવ્વ ખમાવિઆ, મુજ્સ વિ તેહ ખમંત ॥૧૬॥
અર્થ :—સર્વે જીવો કર્મ-વશ હોઈને ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે, તે સર્વને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો. ।।૧૬।।
રું મણેણ બદ્ધ, જે જે વાયાઈ ભાસિરૂં પાવ
I
♥ ♥ કાએણ કર્યાં, મિચ્છા મિદુક્કડં તસ્સ ।।૧૭।।
અર્થ :—જે જે પાપ મનથી બાંધ્યું હોય, જે જે પાપ વચનથી કહ્યું હોય, જે જે પાપ કાયાથી કર્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ.” ।।૧૭|| (સંથારાપારસી)
*
‘ભગવતી આરાધના ભાગ-૨' માંથી –
*
સમાધિમરણ
શરીર ટકે ત્યાં સુધી મોક્ષ ઉપાય સાધવો “कि पुण अवसेसाणं दुक्खक्खयकारणाय साहूणं ।
હોર્ ન ઉમ્મિવન્વં સપન્નવામ્મિ હોમ્મિ || ગાથા ૩૦૩
અર્થ :–શરીર છે ત્યાં સુધી દુઃખનો ક્ષય કરવા માટે, મોક્ષ પ્રાપ્તિ માટે, બીજા મુનિઓએ આ દુઃખદાયક-વિઘ્નથી ભરપૂર એવા લોકમાં તપમાં ઉદ્યમ કેમ ન કરવો ? અવશ્ય કરવો જોઈએ.
મૃત્યુ સંબંઘી વિવેચન
આ જગતમાં મનુષ્યના આયુષ્ય, શરીર, બળ અને આરોગ્યનો નાશ ક્યારે થશે તે કંઈ કહી શકાતું નથી કે સમજી શકાતું નથી. મૃત્યુ દાવાનળ સમાન છે, તે આ સંપૂર્ણ જગતરૂપી વનને ક્યારે બાળી નાખશે તે આપણે જાણતા નથી, કળી શકતા નથી.