________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
દેશ પહોંચાડો.” આમ કહેવાથી તે મચ્છનું રૂપ ઘારણ કરી તમને પીઠ પર બેસાડશે અને સૂચના આપશે તે પાળશો તો સાગર ઓળંગી સ્વદેશ પહોંચશો.
આ ઉપાય અજમાવવા તે બીજે દિવસે ગયા. યક્ષને વિનંતી કરી ત્યારે તેણે કહ્યું કે તમને લલચાવવા રયણાદેવી આવશે પણ તેના સામું પણ જોશો નહીં. જે તેના પ્રત્યે પ્રેમવંત બની લલચાશે તેના મનને જાણી લઈ હું પીઠ ઉપરથી ઉછાળી તેને દરિયામાં નાખી દઈશ. બન્નેએ એક તરવાના લક્ષથી તેની શરત કબૂલ કરી. ત્યાં તો તે મચ્છ થઈ કિનારે આવ્યો એટલે બન્ને તેની પીઠ ઉપર બેસી ગયા અને સપાટાભેર દરિયો કાપવા લાગ્યા. - ત્રીજે દિવસે રયણાદેવી આવી ત્યારે તેમને ઘેર દીઠા નહીં તેથી જાણી ગઈ કે તેમને કોઈ ભેદી મળ્યો છે. તેથી તેમની શોધમાં તે દરિયામાં ચાલી અને આકાશમાં રહીને વિલાપ કરતી બન્નેને વીનવવા લાગી.
જિનરક્ષિત ગંભીર અને સમજુ હતો. તે તો તેના તરફ પીઠ દઈને બેઠો, ગમે તેવા ચાળા કે વિનવણી કરે તેની કાળજી કરી નહીં. મરણરૂપ જ તેની કપટજાળ તે લેખતો. તે તો નહીં જ ફસાય એમ ખાતરી થવાથી તે હવે માત્ર જિનપાલિતનું નામ દઈ વારંવાર કહેવા લાગી : “મેં તમને શું દુઃખ દીધું છે? મારા સામું જરા જોવાથી મને આશ્વાસન મળશે. પૂર્વની વાત સંભારી કૃપા કરી મારો સ્નેહ યાદ કરો, આવા નિષ્ફર ન થાઓ; અબળા ઉપર દયા લાવો.” એવા વચનોથી નાનો જિનપાલિત લલચાયો, “બિચારી આટલું કલ્પાંત કરે છે તો તેના સામું જોવામાં શો દોષ છે?” એમ કરી જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં યક્ષે તેને ઉછાળી નાખી દીઘો કે તરત તેની નીચે ત્રિશુલ મૂકી દેવીએ તેના ત્રિશૂલથી કટકેકટકા કરી દરિયામાં નાખી દીઘો. પણ જિનરક્ષિત લલચાયો નહીં, તે
સ્વદેશ પહોંચી ગયો.
આ ઉપરથી બોઘ લેવાનો કે જગતની માયા, પુદુ ગલ અનેક રીતે ભોળવી તેની પ્રીતિ માં આ આત્માને ફસાવે છે; પણ
પોતે ન ઠગાતાં, * એક મારો આત્મા - જ સાચો છે એમ - જાણી, તેને જ - ખરો માનવો.
E
ફ
જી .
2.
PI lh || ''
૮૦