SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ નમે તેહને પાપના નાશ માટે આ પંચ પરમેષ્ઠીના નમસ્કારથી વીતરાગતા અને તેને પ્રાપ્ત કરાવનારા સાધનો પ્રત્યે સદભાવ પ્રગટે છે. એ સદભાવથી નિર્મલ બનેલ બુદ્ધિ સત્ અસત્ ના જ્ઞાનરૂપે વિવેકને ધારણ કરે છે. પરિણામે સંવર અને નિર્જ રૂપ ચારિત્ર ધર્મમાં સ્થિર થવાય છે. આવું ઉત્તમ ચરિત્ર સવ પાપને સમૂળગો નાશ કરે છે. માટે ઘણો પંચ નમુક્કા પછી મુકયું सव्वपावापणासणो. નમસ્કાર મંત્રનું મહત્વ દર્શાવતા વૃદ્ધ નમસ્કાર ફળ સ્તોત્રમાં લખ્યું કે, कल्लाण काप तरुणो अवंझ वीयं पयंड मायंडो भव हिमगिरि सिहराण परिखपहू पाव भूयंगाणं [વળી તે કલ્યાણ કલ્પતરુનું અવધ્ય બીજ છે. સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે પ્રચંડ સૂર્ય તુલ્ય છે. પાપ ભૂજગોને દૂર કરવા માટે ગરૂડ પક્ષી સમાન છે. અભયદેવ સૂરિજી પણ નવકાર મંત્રના સર્વ વિદન વિનાશી. પણાને જણાવતા લખે છે કે તન્નાહ્ય ૨ ના પ્રાણજયં-સર્વ વિદો મ દેવાન-એટલે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે તે સર્વ પાપનો નાશ કરનાર, સવ વિનને નાશ કરનાર છે. પંચ પરમેષ્ઠી નમસ્કાર કરવાની ક્રિયા કેટલી ? બે સેકન્ડની. એ બે સેકન્ડની ક્રિયામાંપણ ધ્યેય એકજ સર્વ પાપને નાશ. એટલે કે અનિષ્ટ નિવારણ અને ઈટની પ્રાપ્તિ. આમ બે સેકન્ડ જેટલી કિયામાં પણ મૂળ લક્ષ કહ્યું? કર્મક્ષય કર્મના નાશનું જ છે. મતલબ કે આપણે કલાકની દિવસની–મહિનાની કે આખી જીંદગીની ગમે તેવડી ધર્મ ક્રિયા કરતા હોઈએ. પણ સાધ્ય શું ? કર્મક્ષય. માટે ધ્રુવ પંકિત બનાવી કે– નમે તેને પાપના નાશ માટે જે કર્મક્ષયનો મુળ મુદ્દો જ ન રહેતો? અરિહંત-સિદ્ધને કે આચાર્યાદિ ગુરુવર્યોને નમસ્કાર કરવાનું કશું ફળ રહે ખરું? જેમ કલમથી કઈ રાજા લખી દે કે હવે પાંચ ગામ તને ત્રાંબાનાં પતરે લખી દઉં છું. પણ એમ લખવા માત્રથી ગામ બીજાને મળી
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy