SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ તો પણ ઊંચામાં ઊંચે બારમે દેવલેકે જાય. જરણ શેઠમાં શું બોલો છે? “શ્રાવકની સીમે કરંતા” ગમે તે સ્થિતિમાં પણ બારમા દેવલોકની ઉપર ન જઈ શકે તમે. કદાચ જિનેશ્વરનું કથન ન માનતા કે અભવ્ય કે ઉલટું માનતા મિથ્યાષ્ટિ પણ પાંચ મહાવ્રત ધારણ કરે તે નવ ગ્રેવેયક સુધી જાય. પણ નિરતિચારી સદ્દષ્ટિ કે સમક્તિી–કે વ્રતધારી શ્રાવક બારમાં દેવલોકથી આગળ વધે નહીં. માટે તમને કહ્યું કે નમો સ્ટોપ સવ સાકૂળ પદ ભજે. વિચારે બાહુબલીજી એ દીક્ષા લીધી, કાન્સ લીન છે. પણ અભિમાને ચડયા કે નાના ભાઈને વંદન ન કરવું. શલ્ય સહિત તપ કેમ ફળે? તમે કહેશો મોટાભાઈ છે–માટે તે તે આચાર ગણાય. પછી અભિમાનમાં કેમ ઘટાવો છો? આચાર કહેવાય તે સાચું, પણ અહીં મોટાભાઈનાનાભાઈને વ્યવહાર બાહુબલીજી વિચારતા નથી. બાહુબલી જ વિચારે છે કે જો મને જ્ઞાન થઈ જાય તો મારે કેમે કરી નાના ભાઈને નમવું ન પડે. વળી આ તે કેવલી છે. માટે શાસ્ત્રકારે તેને અભિમાન ગયું. જેવો અહંકાર ગયે કે કેવળજ્ઞાન થયું કે નહીં ? માટે કહ્યું કે મનમાંથી મેહ મમતાને ખંખેરી નાખે તેનું નામ મક્ષ–સાધના, જે શ્રાવકને માટે નહીં સાધુને માટે શક્ય છે. સાધુ તો મોક્ષ સાધે તથા સાધક ને મદદ કરે. બીજુ સમતાને ધારણ કરે તે સાધુ. જેમ ક્ષત્રિય કે બ્રાહ્મણ કુળમાં જમેલો તેના સંસ્કાર સાચવે તેમ આચાર્યની પરંપરામાં જન્મેલ તેની રીતિ નીતિ સાચવે તે જે સાધુ. નિરુક્તિથી સા એટલે સમપણું અને હુ એટલે વિચારવું. જે સમપણાને વિચાર કરે તે સાધુ. “સર્વ જીવો પ્રત્યે મૈત્રી” એ માર્ગ સાધુનો છે, શ્રાવકે પણ રોજ પ્રતિક્રમણમાં મિનિ કે સંવ મૂર્ણ બેલે પણ તે હાથીના સ્નાન જેવું, નાહી ધોઈને ધુળમાં આળેટે. નિરુક્તિથી લખ્યું સમતાં વા સર્વ વ્યાયતીતિ નિ ચાચા સાધવા બધાં જ પ્રત્યે સમતાને વિચારે તે સાધું.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy