SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ --જનનન નનનનન નનામાના નાના નાના કરો શ્રી સંઘ બહુમાન ૩૧૫ શત્રુને પરાજય . પરિણામે મહાપવન પ્રીતિપાત્ર બન્યો. મહાપદ્મ નમુચીને વરદાન માગવા કહ્યું. નમુચી કહે અવસરે માંગીશ પછી તે તે હસ્તિનાપુરને પ્રધાન પણ બની ગયે. સમય જતાં સુવતાચાર્યજી હસ્તિનાપુર પધાર્યા, વિષ્ણુકુમાર મહામુનિ થઈ ગયા હતા અને મહાપદ્મ રાજા ચક્રવતી બની ગયા હતા. સુત્રતાચાર્યને જોતાં જ પૂર્વનું વેર સાંભર્યું. મહાપદ્મ રાજાને કહ્યુ આપે મને વરદાન આપેલું તો આજ હું માંગુ છું કે મને અલ્પકાળ માટે ચકવર્તી પદ ભોગવવા આપે. એક વચની રાજાએ તેની માંગણી મંજુર કરી. પોતે અંતઃપુરમાં ચાલ્યો ગયો. રાજ્ય હાથમાં આવતા નમુચીએ સંપૂર્ણ હિંસામય યજ્ઞનો આરંભ કર્યો. બધા ધર્મગુરુ આવ્યા પણ સુત્રતાચાર્ય ન આવ્યા. નમુચીએ તેને બોલાવીને કહ્યું કે હાલ હું રાજા છું માટે તમે મારા યજ્ઞને વખાણો. અમે હિંસાથી ભરેલા કાર્યની અનુમોદીએ નહીં. નસુચી કહે આ રાજ મારું છે. જે મારી આજ્ઞાનું પાલન કરવું ન હોય તે સાત દિવસમાં મારી હદ છેડી ચાલ્યા જાઓ. નહીં તે કોઈને જીવતા નહીં છોડું. સુત્રતાચાર્ય અને શિષ્ય પરિવાર વિચારે છે કે છ ખંડ પ્રવીને સાત દિવસમાં છોડીને બીજે કયાં જવું? સંઘ ભેગો કર્યો. શું કરવું તેની ચર્ચા ચાલી. નક્કી થયું એક લબ્ધિવંત સાધુને વિણકુમાર મુનિ પાસે મેકલવા. - સાધુ પરના હુમાન–સંઘના બહુમાન ખાતર વિણ મુનિ તરત ત્યાં આવ્યા. તેમની પાસે આકાશગામીની લધિ હતી એટલે બીજે પ્રશ્ન ન હતો. નમુચી પાસે જઈ પૂછ્યું આ મુનિ ચોમાસામાં ક્યાં જાય?—હું કંઈ ન જાણુ સાત દિવસમાં મારા રાજ્યની હદ છોડી ચાલ્યા જવું તે માટે હુકમ છે. વિષ્ણુ મુનિ કહે તું મને તે ઓળખશ ને ? મારે માટે તે ત્રણ ડગલાં જેટલી જમીન આપ. નમુચી કહે સારું હું તમને ત્રણ ડગલાં જમીન આપુ છું. પણ તેની બહાર તમારો કેઈ સાધુ જે તે જીવતે નહીં જવા દઉં. વિષ્ણુકુમાર મુનિને સંઘ બહુમાન જાળવવાનું હતું. સાધુ પ્રત્યેના
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy