SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ - - - તે ભાલાની બુટ એ જોબનવંતી બાઈના હાથ ઉપર ફટકારી જોગીદાસ ચાલ્યો ગયો. સૂરજ સાંખે નીમ લીધું કે આ આંખેથી કદી પરનારીને જઈશ નહીં. છતાં આપ એકદી નીમનું એસાણ ભૂલી ગયે. ઘરની આઈ દીકરી યાદ આવી ગઈ, તેની યાદના ઝોકે ચઢેલા આપ પનીહારીના મુખ જોઈ રહ્યો, મનમાં વિકાર નહોતો થયે તે પણ આંખે મરચાની ભૂકી બાંધી સૂઈ ગયે. - આ જ જોગીદાસ રેતીની પથારી અને પથરના ઓશીકે પ્રેમથી પોઢી જતો હતો. જોકે કહેતા કે આપાને નેરાની ભેખડું કે અસ્ત્રી માં કંઈ તફાવત ન હતા. તે પથર જુએ કે અસ્ત્રી તેની અના ભાવ કદી ન બદલાતા. આ થઈઈદ્રિય સંલીનતા. શાસ્ત્રકારોએ પણ સામાયિક કે દેશાવગાસિક ત્રત મુક્યું. તેમાં એક પ્રકારે આ સંસીનતાની તાલીમ જ લેવાની છે. (૨) કષાય સંલીનતા–બીજી કવાય સંલીનતા. ઉદયમાં આવેલા કષાને નાશ કરવા અને ઉદયમાં નહીં આવેલા કષાયને નીષ્ફળ બનાવવા. પહેલાં તો કષાનું સ્વરૂપ સમજવું પડશે. કેમકે ક્રોધાદિ કષાયને બદલે કોઈને જ કષાય માનીને બેસી ગયા છીએ. જેનાથી સંસાર વધારો થાય તે કષાય. તેના ચાર મુખ્ય ભેદ જણાશે. ક્રોધ-માન-માયા-ડાભ. ધનું સ્વરૂપ બહુધા પ્રગટ મનાય છે, પણ મનમાં સંઘરી રાખેલો ભયંકર રાષ એ પણ ક્રોધ કષાયનું સુષુપ્ત રૂપ જ છે. માત્ર તે ક્રમશઃ પ્રગટ થાય છે અથવા ક્યારેક માયા રૂપે આવિર્ભાવ પામે છે. તેથી ક્રોધ કષાયના અભાવને ભ્રમ ઉપજે છે. માન – અભિમાની વ્યક્તિ પણ ઘણું ખરું પરખાઈ જતી હોય એટલે માન કષાયનું સ્વરૂપ પણ ઓળખવું વિશેષ મુશ્કેલ નહીં બને. કષાયમાં માયા અને લેભ બે વિચારણીય ભેદ છે. કેમકે માયાવી અને લાભી તે બંનેને કષાયને વધુ ઉદય છે તે વાત આપણે સમજ્યા જ નથી. આ બાબતે બગલાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. બગલે એ જાણે માયાના પ્રતિક સમે જ લાગે છે. નદીમાં વચ્ચે પાણીમાં એક પગે ઉભેલા બગલો જાણે ધ્યાનમાં લીન હોય તેવું લાગે. પણ જેવું માછલું પસાર
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy